Vishwakarma Jayanti 2023: વિશ્વકર્મા જયંતી પર રાણીપના વિશ્વકર્મા મંદિરમાં યોજાયો અન્નકૂટ, જુઓ તસવીરો

Vishwakarma Jayant: આજે વિશ્વ કર્મા જન્મ જયંતી છે ત્યારે અમદાવાદના અનેક વિશ્વકર્મા મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં અન્નકૂટના દર્શન કરતાં ભક્તો

1/8
અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/8
મોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા ના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટ્યા હતા.
3/8
વિશ્વકર્મા દેવ કડિયા સુથાર લુહાર સોનીના ઇષ્ટદેવ છે.
4/8
અમદાવાદના રાણિપમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
5/8
ભગવાન વિશ્વકર્મા દેવી-દેવતાઓ સાથે સંબંધિત તમામ નિર્માણ કાર્ય કરે છે.
6/8
વિશ્વકર્માજીએ ત્રેતાયુગમાં સુવર્ણ લંકાનું નિર્માણ કર્યું, પુષ્પક વિમાન, દ્વારકા શહેર દ્વાપર યુગમાં બંધાવ્યું હતું
7/8
આ સિવાય દેવતાઓના મહેલો, રથ અને શસ્ત્રો પણ વિશ્વકર્માએ જ બનાવ્યા છે.
8/8
ઘર બનાવનારા, ફર્નિચર બનાવનારા, મશીનરી સાથે જોડાયેલા લોકો, ફેક્ટરીઓ સાથે જોડાયેલા લોકો માટે વિશ્વકર્મા જયંતિ એક મોટો તહેવાર છે.
Sponsored Links by Taboola