Rishabh Pant: પંતની ઝડપી રિકવરી માટે સૂર્યકુમાર યાદવ સહિત ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ કરી મહાકાલની ભસ્મ આરતી, જુઓ તસવીરો

Mahakaleshwar Temple: ટીમ ઈન્ડિયા આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે ઈન્દોરમાં ત્રીજી અને અંતિમ વન ડે રમશે. 3 મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.

મહાકાલની ભસ્મ આરતી

1/7
ભારતીય ક્રિકેટરો સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શને ગયા હતા.
2/7
આ ક્રિકેટરોએ અહીં બાબા મહાકાલની ભસ્મ આરતી કરી હતી.
3/7
ભગવાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતીના દર્શન કર્યા બાદ ત્રણેયએ મહાકાલનો જળ અભિષેક કર્યો હતો
4/7
આ સમયે ત્યાં હાજર પંડિતોએ હર હર મહાદેવના નારા પણ લગાવ્યા હતા.
5/7
ત્રણેય ખેલાડીઓએ ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા માટે ધોતી પહેરી હતી.
6/7
ક્રિકેટર સૂર્યકુમાર યાદવે કહ્યું, અમે રિષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેનું પુનરાગમન અમારા માટે ખૂબ મહત્વનું છે.
7/7
તમામ તસવીર સૌજન્યઃ ANI
Sponsored Links by Taboola