PM મોદીએ 5 હજાર વર્ષ પૌરાણિક મંદિરમાં કરી પૂજા, કહેવાય છે દક્ષિણનું દ્વારકા

PM Modi Kerala Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં ફિલ્મ અભિનેતા અને રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં પણ હાજરી આપી હતી.

Continues below advertisement
PM Modi Kerala Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં ફિલ્મ અભિનેતા અને રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં પણ હાજરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.

Continues below advertisement
1/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની કેરળની મુલાકાત દરમિયાન બે મંદિરો - શ્રી રામસ્વામી મંદિર અને ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની કેરળની મુલાકાત દરમિયાન બે મંદિરો - શ્રી રામસ્વામી મંદિર અને ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરી હતી.
2/7
તેમણે ગુરુવાયુર મંદિરમાં તુલાભારમ વિધિ કરી હતી. આ ધાર્મિક વિધિમાં કોઈપણ વ્યક્તિ તેના વજન જેટલું ફળ અથવા અનાજ દાન કરે છે. તમને જણાવી દઈએ કે ગુરુવાયુર મંદિરનું દક્ષિણ ભારતમાં દ્વારકા જેટલું જ મહત્વ છે.
3/7
દ્વારકાની જેમ, ગુરુવાયુર એ ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. આ મંદિરમાં, ભગવાન ગુરુવાયુરપ્પનની પૂજા કરવામાં આવે છે જે બાલગોપાલન એટલે કે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે.
4/7
એવું માનવામાં આવે છે કે કળિયુગના પ્રારંભમાં દેવગુરુ બૃહસ્પતિ અને વાયુદેવની સૌથી જૂની મૂર્તિ મળી હતી અને તેઓએ આ સ્થાન પર લોકોના કલ્યાણના હેતુથી આ મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી આ સ્થળ ગુરુવાયુર નગર તરીકે ઓળખાવા લાગ્યું. આ મંદિરમાં હાજર ભગવાન કૃષ્ણની મૂર્તિને ચાર હાથ છે.
5/7
મૂર્તિના એક હાથમાં શંખ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં કમળનું ફૂલ અને ચોથા હાથમાં ગદા છે. આ મંદિરને ભૂલોક વૈકુંઠધામ એટલે કે પૃથ્વી પરના વૈકુંઠ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે અને મંદિરનું પુનઃનિર્માણ 1683માં થયું હતું. આ મંદિર કેરળ અને દેશના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે.
Continues below advertisement
6/7
આ મંદિર તેના હાથી ઉત્સવ માટે પણ જાણીતું છે. ભવ્ય રીતે શણગારેલા હાથીઓને જોવા માટે વિશ્વભરમાંથી ભક્તો અહીં એકઠા થાય છે. આ હાથીઓને પછી વિવિધ પ્રદર્શનો માટે પરેડ કરવામાં આવે છે. આ મંદિર નર એશિયન હાથીઓની મોટી વસ્તીના ઘર તરીકે પણ જાણીતું છે.
7/7
પીએમ મોદીએ લખ્યું કે 'સવારે ગુરુવાયુરના લોકો મને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં આવ્યા હતા. હું આ હૂંફની કદર કરું છું અને તે મને લોકો માટે વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે.
Sponsored Links by Taboola