Navratri 2022 Ashtami: મહાઅષ્ટમીના દિવસે અમદાવાદના નગર દેવી મા ભદ્રકાલીના મંદિરે ઉમટ્યાં ભક્તો, જુઓ તસવીરો

Navratri Ashtami 2022: આજે નવરાત્રીનું આઠમું નોરતું છે. જેને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતાજીના દર્શનનું અનોખું માહાત્મ્ય છે.

અમદાવાદનું ભદ્રકાળી મંદિર

1/10
અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે મહાઅષ્ટમીના દિવસે માઇ ભક્તોની ભારે ભીડ જામી. વહેલી સવારથી જ દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી હતી.
2/10
સિંહ ઉપર સવાર થઈ તેમ જ સોળ શણગાર સજીને મા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તો ધન્ય થઈ ગયા હતા.
3/10
આજે દુર્ગાષ્ટમીના પર્વ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે પણ નગરદેવીના દર્શન કર્યા હતા. ઉપરાંત શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી.
4/10
નવરાત્રીમાં આઠમો દિવસ મહાઅષ્ટમી અથવા દુર્ગાષ્ટમીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે જગત જનની મા દુર્ગાની આઠમી શક્તિ મહાગૌરીની પૂજા થાય છે.
5/10
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી.
6/10
દેવી મહાગૌરીના પૂજનથી પાપ કર્મથી છૂટકારો મળે છે. નવરાત્રીમાં અષ્ટમી અને નવમી તિથિનું ખાસ મહત્વ હોય છે
7/10
અમદાવાદના નગર દેવી માતા ભદ્રકાળી.
8/10
અમદાવાદના ભદ્રકાળી મંદિરે દર્શન કરતાં માઇ ભક્તો.
9/10
નવરાત્રીના આઠમા દિવસે મહા અષ્ટમી પર માતા ગૌરીની પૂજામાં શ્વેતા કે જાંબુડી રંગ શુભ માનવામાં આવ્યો છે.
10/10
અનેક લોકો અષ્ટમી પર કન્યા પૂજન અને હવન કરી વ્રતના પારણા કરે છે. મહા અષ્ટમી પર દેવી દુર્ગાની પૂજા સંધિ કાળમાં ખૂબ લાભકારી માનવામાં આવી છે.
Sponsored Links by Taboola