Navratri 2022: પ્રથમ નવરાત્રીએ અમદાવાદમાં ભદ્રકાળી મંદિર ભક્તોની જામી ભીડ ,શૈલપુત્રી રૂપમાં ભક્તોને આપે છે દર્શન
Navratri 2022: 26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે.
આજથી નવરાત્રીના પવન પર્વની શરૂઆત થઈ છે
1/8
નવરાત્રીનું પર્વ માતાની આરાધના અને ઉપાસનાનું છે. જેમાં માતાજીના નવદુર્ગાના રૂપની પૂજા કરવામાં આવે છે .
2/8
આજે અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિરમાં લોકોની વહેલી સવાર થી જ ભીડ જોવા મળી.
3/8
નગર દેવી ભદ્રકાળી માતા આજે ભક્તોને શૈલપુત્રી રૂપમાં ભક્તોને દર્શન આપશે. નવદિવસ સુધી ભદ્રકાળી અલગ અલગ સિંહાસન પર બીરાજમાન થઈ ભક્તોને આશીર્વાદ આપશે.
4/8
આજે માતાજી ગાય આસન પર બિરાજમાન થઈને દર્શન આપી રહ્યા છે.
5/8
આજ ના દિવસે ભક્તો નગર દેવી ના દર્શન કરી સુખ શાંતિ અને સમુદ્ધ માટે પ્રાર્થના કરે છે.
6/8
નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે.
7/8
કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
8/8
મા શૈલપુત્રીને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી સતીએ કઠોર તપસ્યા દ્વારા ભોલેનાથને પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. નવરાત્રીમાં, અપરિણીત છોકરીઓને તેમની સાધના દ્વારા યોગ્ય વર મળે છે.
Published at : 26 Sep 2022 09:05 AM (IST)