Shamlaji Temple: આજે મહા પૂર્ણિમા, શામળિયાના દ્વારા સવારથી જ લાંબી કતારો, હજારો ભક્તોએ કર્યા દર્શન, જુઓ
Aravalli Shamlaji Temple: હિન્દુ સનાતન ધર્મમાં પંચાંગનું ખૂબ જ મહત્વ છે. પંચાંગ પ્રમાણે આજનો દિવસ શુભ દિવસ છે, કેમ કે આજે 24 ફેબ્રુઆરી, 2024 એ મહા પૂનમ છે, હિન્દીમાં આને માઘ પૂર્ણિમા પણ કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. આ અંતર્ગત આજે ગુજરાતના મંદિરો ભક્તોથી ઉભરાયા છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાનું સુપ્રિસદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનુંના ઘોડાપુર આવ્યુ છે.
મહા પૂનમ નિમિત્તે આજે સવારથી જ શામળાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
આજે મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર પણ કરાયો છે, સાથે સાથે ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પણ પહેરાવવામાં આવ્યા છે.
આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે મહા પૂનમનો મેળો ભરાયો છે. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે,
સવારથી જ ભગવાનના દર્શન માટે પરિસરમાં લાંબી લાંબી લાઇનો લાગી છે. હિન્દુ ધર્મમાં મહા મહા પૂનમનું અનેરું મહત્વ છે. આ મહાપૂનમ નિમિતે કેટલાય ભક્તો પગપાળા ચાલીને ભગવાનના દ્વારે પહોચ્યા છે.
ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ના પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજે ભગવાન શામળિયાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો,
ખાસ કરીને ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા, અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.