Shani Dev: શનિદેવની પૂજામાં મહિલાઓ રાખે આ વાતનું ખાસ ધ્યાન, નાની ભૂલ પડી શકે છે ભારે
મહિલાઓએ શનિદેવની મૂર્તિને ન તો સ્પર્શ કરવો જોઈએ અને ન તો તેલ ચઢાવવું જોઈએ. શાસ્ત્રોમાં મહિલાઓ માટે આવું કરવું અશુભ માનવામાં આવ્યું છે. આ કારણે તમારે શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાઓએ શનિ મંદિરમાં શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિદેવની પૂજા કરવાનો આ સરળ ઉપાય છે. સાચા મનથી શનિદેવનું સ્મરણ કરવાથી દરેક મુશ્કેલી દૂર થાય છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટે મહિલાઓ શનિવારે સરસવનું તેલ, કાળા તલ, કાળા અડદ, લોખંડનું દાન પણ કરી શકે છે. તેનાથી સાડે સાતી અને ઢૈયાની અશુભ અસર ઓછી થાય છે.
જો મહિલાઓની કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી હોય તેમણે શનિવારે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો. આ શનિ દોષને શાંત કરે છે.
શનિદેવની અશુભતા દૂર કરવા માટે મહિલાઓએ કાળા કૂતરાને સરસવના તેલમાં પલાળેલી રોટલી ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધક પર શનિની મહાદશાનો પ્રભાવ નથી પડતો.
અસહાય વ્યક્તિની મદદ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે. જો મહિલાઓ આ ઉપાયોનું પાલન કરશે તો તેમને આર્થિક અને શારીરિક સમસ્યાઓથી રાહત મળશે.
પૂજા કરતી વખતે મહિલાઓએ શનિદેવ સાથે સીધો આંખનો સંપર્ક ન કરવો જોઈએ. આંખો નીચે રાખીને પૂજા કરો. શનિની દૃષ્ટિ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ખરાબ પરિણામ આવી શકે છે.