Sharad Purnima 2022: શરદ પૂર્ણિમાએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોએ માતાજીને કમળ અને શ્રીફળ ધરાવી રીઝવ્યા, જુઓ તસવીરો
Sharad Purnima 2022: આસો મહિનાની પૂનમનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા, રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભદ્રકાળી મંદિર
1/9
આજે શરદ પૂર્ણિમા છે. ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા અનેક ભક્તો અમદાવાદ ઉપરાંત બહારગામથી પહોંચ્યા હતા.
2/9
ભદ્રકાળી મંદિરે ભક્તોની ભીડ જામી હતી. મહાકાળીને પવિત્ર શણગાર કરાયો હતો.
3/9
ભક્તો કમળ અને શ્રીફળ ધરાવી ભદ્રકાળીને રીઝવતા જોવા મળ્યા હતા.
4/9
આ વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવાથી, નવું વર્ષ સારું નીવડે તેવી પ્રાર્થના ભદ્રકાળીને કરી હતી.
5/9
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.
6/9
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.
7/9
અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના મંદિરે શરદ પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોએ દર્શન માટે ભીડ લગાવી હતી.
8/9
શદર પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા હતા.
9/9
ભક્તોએ આગામી વર્ષ સારું જાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
Published at : 09 Oct 2022 11:12 AM (IST)