Lakshami Jayanti 2025: આજે લક્ષ્મી જયંતીના અવસરે, ધન પ્રાપ્તિ માટે મધનો કરો આ ઉપાય

Lakshami Jayanti 2025: મહાલક્ષ્મીએ સમુદ્રમંથન દરમિયાન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા હતા. તેથી જ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે લક્ષ્મી જયંતિ ઉજવવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
Lakshami Jayanti 2025: મહાલક્ષ્મીએ સમુદ્રમંથન દરમિયાન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા હતા. તેથી જ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે લક્ષ્મી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે કેટલાક ઉપાય કરવા જોઈએ.
2/7
લક્ષ્મી જયંતિના દિવસે ધન પ્રાપ્તિ માટે લક્ષ્મી હોમનું અનુષ્ઠાન કરવું જોઈએ. આમાં દેવી લક્ષ્મી સહસ્ત્રનામાવલી અથવા શ્રી સૂક્તમનો પાઠ કરો. દેવી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મધમાં બોળી કમળના ફૂલ ચઢાવો.
3/7
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં શંખ, ગાય, કમળના ફૂલ, મખાના અને પતાશા રાખો અને દેવીને ખીર ચઢાવો અને પછી તેને 7 કન્યાઓમાં વહેંચો. એવું માનવામાં આવે છે કે આ દેવાના બોજને ઘટાડવામાં મદદ કરે છે.
4/7
લક્ષ્મી જયંતિની રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને પીળા કપડામાં પાંચ પીળી કોડી અને એક ચાંદીનો સિક્કો બાંધી દેવી માતાને અર્પણ કરો અને પછી તિજોરીમાં રાખો. કહેવાય છે કે આનાથી તિજોરી ક્યારેય ખાલી થતી નથી.
5/7
નારિયેળને શ્રીફળ એટલે કે શ્રીનું ફળ કહેવાય છે. શ્રી એટલે લક્ષ્મી. તેથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજામાં નારિયેળ રાખવું શુભ છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી પ્રગતિ થાય છે.
6/7
લક્ષ્મી જયંતિના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો, જેમાં ખાંડ, લોટ, ઘીનો સમાવેશ થાય છે. નિઃસ્વાર્થ ભાવે દાન કરો, તેનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
7/7
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. પતાશા પણ ચંદ્ર સાથે સંકળાયેલા જોવા મળે છે. આ જ કારણ છે કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પતાશા ચઢાવવામાં આવે છે. આ ઉપાય ખાસ કરીને ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે કરવો જોઈએ કારણ કે આ દિવસે ચંદ્રનો જન્મ થયો હતો.
Sponsored Links by Taboola