Smashan Ghat: મહિલાઓ સ્મશાનગૃહમાં કેમ નથી જતી, શું છે તેનું રહસ્ય, જાણો
Smashan ghat: હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર વખતે શવ યાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાની મનાઈ છે, જાણો કેમ.
સામાન્ય માન્યતા મુજબ મહિલાઓને પુરૂષો કરતા વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. પરિવારમાં કોઈના મૃત્યુ સમયે ઘરમાં શોકનો માહોલ જોવા મળે છે. અંતિમ યાત્રામાં મૃત શરીરને લઈ જવું મહિલાઓ માટે અત્યંત કષ્ટદાયક હોય છે. આવી સ્થિતિમાં, મહિલાઓ સ્મશાન ઘાટ પર આ પીડા સહન કરી શકતી નથી. આ જ કારણ છે કે તેમને સ્મશાનગૃહમાં જવાની મનાઈ છે.
1/6
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેનાર મૃતકના પરિવારના સભ્યએ તેનું માથું મુંડન કરાવવું પડે છે. હિંદુ સંસ્કૃતિમાં મહિલાઓનું મુંડન કરવું શુભ માનવામાં આવતું નથી, તેથી તેમને સ્મશાનગૃહમાં જવાની મંજૂરી નથી.
2/6
એવું કહેવામાં આવે છે કે લાશને બહાર કાઢ્યા બાજ, ઘરને સુનસામ ન કરવું જોઈએ, કારણ કે ગુરુડ પુરાણ અનુસાર, વ્યક્તિની આત્મા 10 દિવસ સુધી ઘરમાં રહે છે.
3/6
બીજું કારણ એ છે કે અંતિમ સંસ્કાર પછી પુરુષો સ્નાન કર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરે છે અને તે પહેલાં મહિલાઓએ ઘરની શુદ્ધિ માટે ઘરમાં જ રહેવું પડે છે.
4/6
એવું માનવામાં આવે છે કે સ્મશાન પર હંમેશા નકારાત્મક ઉર્જા ફેલાય છે. શોકના માહોલમાં મહિલાઓ પોતાના મનને કાબૂમાં રાખી શકતી નથી. આવી સ્થિતિમાં દુષ્ટ શક્તિઓ તેમના પર વર્ચસ્વ જમાવી શકે છે. આ જ કારણ છે કે મહિલાઓને સ્મશાનગૃહમાં જવા દેવામાં આવતી નથી.
5/6
સ્મશાન ભૂમિનું વાતાવરણ અશુદ્ધ છે, તેથી જંતુઓ મહિલાઓના શરીર અને વાળમાં ચોંટી જાય છે, જેના કારણે તેમને બીમારીઓનું જોખમ પણ રહે છે.
6/6
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Published at : 25 Aug 2024 11:34 AM (IST)