Pitru Paksha 2024: શ્રાદ્ધમાં ભૂલથી ન કરો આ કામ, 16 દિવસ આ કાર્ય કરવા વર્જિ,ત નહિતો પિતૃ થાય છે નારાજ
પિતૃ પક્ષ દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ. જેમ કે લગ્ન, વાસ્તુ પૂજા, વગેરે ન કરવા જોઈએ. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન કરવી જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
1/6
પિતૃ પક્ષ દરમિયાન દારૂ, માંસાહાર, સોપારી, રીંગણ, ડુંગળી, લસણ, વાસી ખોરાક, સફેદ તલ, ગોળ, મૂળો, કોળું મીઠું, સત્તુ, જીરું, મસૂર, સરસવ વગેરે વર્જિત માનવામાં આવે છે. જો કોઈ શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરે છે અથવા તેનો ઉપયોગ કરે છે તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે.
2/6
પિતૃ પક્ષ દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ. જેમ કે લગ્ન, વાસ્તુ પૂજા, વગેરે ન કરવા જોઈએ. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન કરવ જોઈએ.
3/6
પિતૃપક્ષમાં કોઈની સાથે ખોટું ન બોલવું જોઈએ. આ સિવાય અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈની સાથે જુગાર કે છેતરપિંડી જેવી વસ્તુઓ ન કરવી જોઈએ. આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
4/6
પિતૃપક્ષ દરમિયાન કોઇ સાઘુ તમારા દ્વારે આવે તો તેમનું અપમાન ન કરો. સાધુ સંતનું અપમાન કરવાથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે.
5/6
આ ઉપરાંત, જો કોઈ ગાય, કૂતરો અથવા ભિખારી તમારા દરવાજે આવે તો તેનું અપમાન ન કરો. તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વ્યક્તિએ પોતાના વાળ, નખ અને દાઢી ન કાપવી જોઈએ.
6/6
શ્રાદ્ધ દરમિયાન તર્પણ માટે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂલથી પણ લાલ કે સફેદ તલનો ઉપયોગ ન કરો. તેમજ શ્રાદ્ધ કરવા માટે લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સમય દરમિયાન, તમે પિત્તળના વાસણોમાં ખોરાક ખાઈ શકો છો અને તાંબાના વાસણોમાં પાણી પી શકો છો.
Published at : 02 Sep 2024 10:34 AM (IST)
Tags :
Pitru Paksha 2024