Dhanteras 2023: મેષથી કન્યા રાશિના જાતક માટે ધનતેરસના અવસરે આ વસ્તુની ખરીદી કરવી રહેશે શુભ

ધનતેરસના અવસરે કેટલીક વસ્તુની ખરીદી ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે જે પણ ખરીદી કરીએ તે તેર ગણી થતી હોવાની માન્યતા છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
ધનતેરસના અવસરે કેટલીક વસ્તુની ખરીદી ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે જે પણ ખરીદી કરીએ તે તેર ગણી થતી હોવાની માન્યતા હોવાથી સોનું ચાંદી ખરદવાની માન્યતા વધુ છે. જાણીએ રાશિ મુજબ કઇ વસ્તુની ખરીદીવી આપના માટે શુભ રહેશે.
2/7
મેષ -મેષ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સાવરણી ખરીદીને ઘરે લઈ જવી જોઈએ. તમે માણિક્ય કે મૂંગા પણ ખરીદી શકો છો. આ રત્નની ખરીગી આપના માટે શુભ રહેશે.
3/7
વૃષભ-વૃષભ રાશિના લોકો ધનતેરસ પર મીઠું ખરીદી શકે છે. જો નાણાકીય સ્થિતિ અનુકૂળ હોય, તો તમે ચાંદીના સિક્કા ખરીદી શકો છો. આ રીતે કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બને છે.
4/7
મિથુન-મિથુન રાશિના લોકોએ ધનતેરસના દિવસે ગોમતી ચક્રને ઘરે લાવવું જોઈએ અને યોગ્ય વિધિથી તેની સ્થાપના કરવી જોઈએ. આ સિવાય તમે સોનાના સિક્કા પણ ખરીદી શકો છો. જો તમે ઈચ્છો તો સોનાના ઘરેણાં પણ ખરીદી શકો છો.
5/7
કર્ક -કર્ક રાશિવાળા લોકોએ ધનતેરસ પર વાસણો ખરીદવા જોઈએ. તમે ચાંદીના સિક્કા પણ ખરીદી શકો છો. આ રીતે ચંદ્ર કુંડળીમાં બળવાન બનશે.
6/7
સિંહ -સિંહ રાશિના લોકોએ ધનતેરસ પર પીળા રંગની વસ્તુઓ ખરીદવી જોઈએ. તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા માટે પિત્તળનો કલશ પણ ખરીદી શકો છો. સોનાના સિક્કા ખરીદી શકો છો.
7/7
કન્યા -કન્યા રાશિના જાતકોએ ધનતેરસ પર સૂકી કોથમીર ખરીદવી જોઈએ. પન્ના રત્નની ખરીદી શકો છો. જેને ધારણ કરવું પણ શુભ રહેશે.
Sponsored Links by Taboola