Vastu Tips: ઘરના મધ્ય ભાગમાં આ 4 વસ્તુઓ રાખવાથી મુશ્કેલીઓ થશે દૂર અને મળશે ધનલાભ
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ સ્થાનને દિવ્ય ઊર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં યોગ્ય વસ્તુઓ રાખવાથી અનેક મુશ્કેલીઓ સરળ બની શકે છે

પ્રતિકાત્મક તસવીર
1/5
હિંદુ ધર્મમાં હાથીને શુભતા, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ચાંદી કે તાંબાથી બનેલો ધાતુનો હાથી ઘરના મધ્ય ભાગમાં રાખવાથી ઘરમા સુખ-શાંતિ રહે છે અને કાર્યક્ષેત્ર, વ્યવસાય તથા ધનમાં લાભ થાય છે.
2/5
વાસ્તુ અનુસાર ધાતુનો કાચબો શુભ માનવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં કાચબો રાખવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક સ્થિરતા વધે છે.
3/5
ઘરના મધ્ય ભાગમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું અત્યંત શુભ ગણાય છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે. ધ્યાન રાખવું કે શ્રીયંત્રને હંમેશા સ્વચ્છ અને થોડા ઊંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે.
4/5
વાસ્તુ શાસ્ત્રમાં, પિરામિડને નકારાત્મક ઊર્જા શોષી લેતી શક્તિશાળી રચના માનવામાં આવે છે. ઘરના મધ્ય ભાગમાં પિરામિડ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં હંમેશા સકારાત્મકતા, શાંતિ અને સુખનું વાતાવરણ રહે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 02 Feb 2026 01:38 PM (IST)