Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર આ 4 ભૂલો તમારા ભાગ્ય પર મારી શકે છે તાળું! શાસ્ત્રોની કડક ચેતવણી
આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પરંતુ તે તપ, દાન, સંયમ અને પવિત્રતાનું મહાપર્વ છે.
1/6
આ વર્ષે બુધવાર, 14 January, 2026 ના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ (Uttarayan) તરફ પ્રયાણ કરે છે. આ પવિત્ર દિવસે અજાણતાં કરેલી કેટલીક ભૂલો આખા વર્ષ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે. શાસ્ત્રોમાં એવી 4 બાબતોનો ઉલ્લેખ છે, જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.
2/6
1. દક્ષિણ દિશામાં યાત્રા ટાળવી (Traveling South) - શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિના દિવસે સૂર્યની ગતિ ઉત્તર દિશા તરફ હોય છે, જેને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા કરવી અશુભ ગણાય છે. દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવું એ સૂર્યની કુદરતી ઊર્જા અને પ્રવાહનો વિરોધ કરવા સમાન છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી 14 January એ દક્ષિણ દિશાનો પ્રવાસ ટાળવો જોઈએ.
3/6
2. ક્રોધ અને અસત્યથી દૂર રહો - આ પર્વ પવિત્રતાનું પ્રતિક છે. મકરસંક્રાંતિના દિવસે વાણી અને વર્તનમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે. આ દિવસે કોઈની સાથે ઝઘડો કરવો, ગુસ્સો કરવો કે જૂઠું બોલવું (Lying) સૂર્યદેવને નારાજ કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ આ દિવસે નકારાત્મક વિચારોથી દૂર રહીને સત્યનું પાલન કરે છે, તેના પર જ સૂર્યના આશીર્વાદ વરસે છે.
4/6
3. તામસિક ભોજન વર્જિત (Tamasic Food) - મકરસંક્રાંતિને 'ખીચડી પર્વ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સાત્વિક આહારનું વિશેષ મહત્વ છે. ઘરમાં ભૂલથી પણ માંસાહાર, ઈંડા કે લસણ-ડુંગળી વાળું ભોજન ન બનાવવું જોઈએ. ઉપરાંત, આ પવિત્ર દિવસે દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી પુણ્યનો નાશ થાય છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
5/6
4. કાળા તલના દાનમાં સાવધાની - સામાન્ય રીતે મકરસંક્રાંતિને 'તિલ સંક્રાંતિ' કહેવાય છે અને તલનું દાન શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસે 'કાળા તલ' (Black Sesame Seeds) નું દાન કરવાનું ટાળવું જોઈએ. કાળા તલનો સંબંધ શનિદેવ સાથે છે, જ્યારે મકરસંક્રાંતિ એ સૂર્યદેવનો તહેવાર છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્ર હોવા છતાં વૈચારિક મતભેદ છે. સૂર્યની ઉપાસનાના દિવસે શનિની વસ્તુનું દાન કરવું ક્યારેક અશુભ ફળ આપી શકે છે, તેથી સફેદ તલ કે ગોળનું દાન વધુ હિતાવહ છે.
6/6
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને શાસ્ત્રોના સંદર્ભો પર આધારિત છે. કોઈપણ ઉપાય કરતા પહેલા જે-તે વિષયના નિષ્ણાત કે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.)
Published at : 13 Jan 2026 07:52 PM (IST)