Mahashivratri 2024: મહાશિવ રાત્રિના અવસરે મહાદેવને આ પદાર્થ અચૂક કરો અર્પણ, કામનાની પૂર્તિ માટે છે સિદ્ધ ઉપાય
બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2024 માં, મહાશિવરાત્રી 8 માર્ચ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, બોરના આ ઉપાય તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
જો તમે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહાશિવરાત્રીના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને શિવલિંગને બોર અર્પણ કરવા જોઈએ, આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે.
જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અર્પણ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને ધન પ્રાપ્તિના વિકલ્પ ખુલ્લે છે.
જો તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમે લાંબા સમયથી બીમાર છો, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અવશ્ય અર્પિત કરો, આ ઉપાયથી બીમારીઓથી છુટકારો મળે છે.
બોરનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ શિવનું પ્રિય ફળ છે. બોરના ઝાડને પણ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અચૂક અર્પણ કરો.