Pitru Paksha 2023: પિતૃપક્ષમાં પિતૃઓને અંગૂઠા દ્વારા જ પાણી કેમ આપવામાં આવે છે? જાણો મહત્વ

Pitru Paksha 2023: પિતૃપક્ષમાં પિતૃઓને સંતુષ્ટ કરવા માટે યોગ્ય રીતે તર્પણ કરવું જરૂરી છે, નહીં તો પિતૃઓ પ્રસન્ન થતા નથી. પિતૃઓને માત્ર અંગુઠામાંથી જ પાણી કેમ આપવામાં આવે છે? તેનું મહત્વ જાણો.

પ્રતિકાત્મક તસવીર

1/5
મહાભારત અને અગ્નિપુરાણ અનુસાર પૂર્વજોને અંગૂઠાથી જળ ચઢાવવાથી તેમની આત્માને શાંતિ મળે છે. શાસ્ત્રો અનુસાર હથેળીના અંગૂઠા સાથેના ભાગને પિતૃ તીર્થ કહેવામાં આવે છે.
2/5
જ્યારે તર્પણ દરમિયાન અંગૂઠામાંથી જળ ચઢાવવામાં આવે છે, ત્યારે તે પિતૃ તીર્થમાંથી પસાર થઈને પિંડમાં પહોંચે છે. કહેવાય છે કે આનાથી પિતૃઓની આત્માઓ પૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જાય છે.
3/5
શ્રાદ્ધ કરતી વખતે, કુશામાંથી બનેલી વીંટી, જેને પવિત્રી પણ કહેવાય છે, અનામિકા આંગળી પર પહેરવાની પરંપરા છે. તેના વિના તર્પણ અને પિંડ દાન અધૂરા છે.
4/5
એવું માનવામાં આવે છે કે કુશના આગળના ભાગમાં બ્રહ્મા, મધ્ય ભાગમાં વિષ્ણુ અને મૂળ ભાગમાં ભગવાન શંકરનો વાસ છે. કુશ સાથે જળ અર્પણ કરવાથી, પૂર્વજો તેને સરળતાથી સ્વીકારી શકે છે, કારણ કે તે શુદ્ધ અને સ્વચ્છ બને છે.
5/5
તમારા હાથમાં પાણી, કુશ, અક્ષત, ફૂલો અને કાળા તલ લઈને બંને હાથ જોડીને તમારા પિતૃઓનું ધ્યાન કરો, તેમને આમંત્રણ આપો અને જળ સ્વીકારવાની પ્રાર્થના કરો. આ પછી 5-7 કે 11 વાર અંજલિથી ધરતી પર પાણી છોડો.
Sponsored Links by Taboola