Tulsi Vivah 2024 Upay: તુલસી વિવાહના દિવસે આ એક વસ્તુનું કરો દાન, તમારું ભાગ્ય બદલાઈ જશે
તુલસી વિવાહનું પર્વ વર્ષ 2024માં 13 નવેમ્બર, બુધવારના દિવસે આવી રહ્યું છે. આ દિવસે લક્ષ્મીજીના સ્વરૂપ તુલસીજીનું લગ્ન વિષ્ણુજીના સ્વરૂપ શાલિગ્રામ ભગવાન સાથે કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિનાની યોગ નિદ્રા પછી જાગે છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં કન્યા દાનને મહા દાન માનવામાં આવ્યું છે. તુલસી વિવાહના દિવસે જે દંપતીને દીકરી નથી અથવા દીકરીની કામના રાખનારા લોકો તુલસી વિવાહના દિવસે તુલસી માતાને પોતાની દીકરી માનીને તેમનું કન્યા દાન કરે.
આ દિવસે કન્યા દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વસ્ત્ર અને આભૂષણનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આનું દાન કરવાથી વ્યક્તિને બમણો લાભ મળે છે.
તુલસી વિવાહનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાનથી શુભ ફળ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
તુલસી વિવાહના દિવસે વિધિ વિધાનથી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.