Vastu Tips: લવલાઇફ અને દાંપત્યજીવનને ખુશીથી ભરી દે છે, આ 7 સરળ વાસ્તુ ટિપ્સ
Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.
વાસ્તુ ટિપ્સ
1/8
Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.
2/8
પતિ-પત્નીના બેડરૂમમાં ઉપયોગમાં લેવાતા બેડ પર ખાસ ધ્યાન રાખો. આ પલંગ લોખંડ કે કોઈપણ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા સૂવા માટે લાકડાના પલંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.
3/8
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં તાજા ફુલનો ગુલદસ્તો રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. દાંપત્ય જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
4/8
બેડરૂમમાં બેડની સામે ક્યારેય પણ મિરર ન રાખવો જોઇએ. આવું કરવાથી પતિ-પત્નીના સંબંધમાં કડવાશ આવે છે.
5/8
દંપતીના બેડ રૂમની દિવાલને હંમેશા લાઇટ કલરથી પેઇન્ટ કરો. તેમજ રૂમમાં કુદરતી રીતે પુરતો પ્રકાશ આવતો હોવો જોઇએ. જેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
6/8
પરિણીત યુગલ જ્યાં સૂવે છે તે રૂમને મીઠાના પાણીના પોતા કરવા જોઇએ. નમકને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. બેડ્રુનમાં ક્યારેય જાળા ન થવા દો. આવા જાળા જીવનમાં નકારાત્મકતા લાવે છે.
7/8
બેડરૂમમાં ડબલ બેડ પર બે ગાદલા ન હોવા જોઇએ. એક જ ગાદલું હોવું જોઇએ. બે ગાદલા પતિ-પત્ની વચ્ચેના અંતરને વઘારે છે.
8/8
વાસ્તુશાસ્ત્રઃ પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવનો અંત આવે છે અને સંતુલન આવે છે.
Published at : 05 Nov 2022 07:59 AM (IST)
= 8">