Astro: આપની રાશિ મુજબ ધારણ કરો રત્ન, જીવન બનશે સુખમય, જાણો મેષથી મીનના શુભ રત્નો
Jyotish Ratn:સામાન્ય રીતે રત્ન ધારણ કરવા માટે જન્મ કુંડળનો અભ્યાસ કરતો અનિવાર્ય છે અને નિષણાતની સલાહ લઇને જ રત્ન ધારણ કરવા જોઇએ નહિ તો તેનું વિપરિત ફળ મળે છે, રાશિના સ્વામી મુજબ બારેય રાશિ માટેના રત્ન સુનિશ્ચત કરેલા છે. તો આપની રાશિ મુજબ આપના માટે ક્યું રત્ન શુભ છે જાણીએ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ રાશિ-મેષ રાશિનો સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના જાતક માટે મૂંગા ઘારણ કરવું શુભ મનાય છે.
વૃષભ રાશિ-વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે. જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ વૃષભ જાતિના લોકોએ હીરાનું રત્ન ઘારણ કરવું જોઇએ
મિથુન રાશિ-મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે. જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતકે પન્ના ઘારણ કરવું જોઇએ. મિથુન રાશિ માટે પન્ના શુભ ફળ આપનાર છે.
કર્ક રાશિ-કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. તો કર્ક રાશિના લોકોએ જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ મોતી ધારણ કરવું જોઇએ. આ રાશિ માટે મોતી શુભ ફળ આપનાર છે.
સિંહ રાશિ-સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, આ રાશિના જાતકે માણિક ધારણ કરવો જોઇએ. સિંહ રાશિના લોકો માટે માણિક રત્ન શુભ ફળ આપનાર છે.
કન્યા રાશિ-કન્યારાશિનો સ્વામી બુદ્ધ છે. જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ કન્યા રાશિના જાતકે પન્ના ઘારણ કરવું જોઇએ. મિથુન રાશિ માટે પન્ના શુભ ફળ આપનાર છે.
તુલા રાશિ-તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકે જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ હીરો, ઓપલ અથવા જરકન ધારણ કરવો જોઇએ . જે શુભ રહે છે.
વૃશ્ચિક રાશિ-વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિના જાતક માટે મૂંગા ઘારણ કરવું શુભ મનાય છે
ધનુ રાશિ-ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોએ પુખરાજ ઘારણ કરવો જોઇએ.
મકર રાશિ-મકર રાશિના સ્વામી શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના જાતકે નીલમ રત્ન ધારણ કરવું જોઇએ. તે શુભ રહે છે.
કુંભ રાશિ-કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના જાતકે નીલમ રત્ન ધારણ કરવું જોઇએ. તે શુભ રહે છે.
મીન રાશિ-મીન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોએ પુખરાજ ઘારણ કરવો જોઇએ. તે શુભ રહે છે.