Vastu Tips: ઘરમાં રાખેલી આ 6 વસ્તુઓ બની શકે છે ખરાબ નસીબનું કારણ
Vastu Tips: એસ્થેટિકના નામે ઘરમાં કોઈપણ પ્રકારની વાસ્તુ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આવી કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારવા સાથે ખરાબ નજરને પણ આકર્ષિત કરે છે.

પ્રતિકાત્મક તસવીર
1/5
લોકકથાઓમાં કહેવામાં આવે છે કે બેડશીટ અથવા ચાદર યોગ્ય રીતે ન ગોઠવવાથી બેચેની અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. આઇરિશ પૌરાણિક કથાનુસાર, ખાલી રોકિંગ ખુરશી અનિચ્છનીય આત્માઓને આકર્ષે છે. જો તે પોતાની મેળે ફરે છે, તો તેનો અર્થ એ છે કે કોઈએ તે બેઠક પર કબજો કરી લીધો છે.
2/5
ઘરમાં જાનવરોની ખાલ, યુદ્ધના દૃશ્યો અથવા જહાજ ડૂબવાના ચિત્રો જેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. ફેંગ શુઈ અનુસાર જૂના કેલેન્ડર અથવા બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
3/5
ફેંગ શુઇમાં, કોઈપણ તૂટેલી વસ્તુ ઉપેક્ષિત ઊર્જા દર્શાવે છે. ખાસ કરીને બંધ ઘડિયાળ જીવન અટકી ગયાનું પ્રતિક માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ જો બંધ ઘડિયાળ અચાનક ચાલવા લાગે તો તે અશુભ સંકેત પણ માનવામાં આવે છે.
4/5
તૂટેલું અરીસું માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતું, પરંતુ જૂની માન્યતાઓ મુજબ અરીસું તૂટે તો આત્માનું પ્રતિબિંબ તૂટી જાય છે અને 7 વર્ષ સુધી ખરાબ નસીબ લાવે છે એવું માનવામાં આવે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 12 Mar 2026 02:10 PM (IST)