એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં બહાર પડી ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ સંસ્થામાં જૂનિયર એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ સંસ્થામાં જૂનિયર એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
2/6
ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ www.aai.aero ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
3/6
આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 02 એપ્રિલ 2024થી શરૂ થશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 1 મે 2024 છે.
4/6
આ ભરતી ડ્રાઈવ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં કુલ 490 જગ્યાઓ ભરશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા સિવિલ, ઇલેક્ટ્રિકલ, આર્કિટેક્ચર અને અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
5/6
આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરનારને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
6/6
અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. આ માટેની ફી 300 રૂપિયા રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને ફી ચુકવણીમાં મુક્તિ આપવામાં આવી છે.
Sponsored Links by Taboola