APAAR Card: વિદ્યાર્થીઓ માટે ખુબ કામનું છે અપાર કાર્ડ, જાણો શું છે તેના ફાયદા ?

APAAR Card: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. આ ગાર્ડનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે. આ દસ્તાવેજો વિના ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, તમામ વિદ્યાર્થીઓને એક વિશેષ ID આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ એટલે કે APAAR કાર્ડ કહેવામાં આવે છે.

આ કાર્ડ ભારત સરકાર દ્વારા 'વન નેશન, વન સ્ટૂડન્ટ આઈડી' હેઠળ ઇશ્યૂ કરવામાં આવે છે. ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે.
અપાર કાર્ડમાં શૈક્ષણિક સિદ્ધિઓ, વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો જેવી માહિતી સામેલ હશે. આ સિવાય તેમાં બ્લડ ગ્રુપ, ઊંચાઈ અને વજન જેવી વિદ્યાર્થીઓની અંગત વિગતો પણ સામેલ હશે. આ તમામ માહિતી ઓનલાઈન સંકલિત કરવામાં આવશે.
અપાર કાર્ડનો સૌથી મોટો ફાયદો એવા વિદ્યાર્થીઓને થશે કે જેમના માતા-પિતા આવી નોકરીમાં છે, જેમને વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક વિગતો સબમિટ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
Apar કાર્ડમાં આધાર કાર્ડની જેમ જ 12 નંબર હોય છે. આ ઉપરાંત, તેમાં શિષ્યવૃત્તિ અને અન્ય પ્રકારના પ્રમાણપત્રો વિશેની માહિતી પણ છે, તમે તેને DigiLocker સાથે કનેક્ટ કરી શકો છો. તે ઓનલાઈન બનાવી શકાય છે.
ભારત સરકાર વર્ષ 2026-27 સુધીમાં સમગ્ર દેશમાં અપાર કાર્ડ લાગુ કરવાની યોજના ધરાવે છે. હાલમાં દિલ્હી અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે દેશના વધુ રાજ્યોમાં તબક્કાવાર રીતે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.