ટીવીની આ એક્ટ્રેસને ફેમ મળ્યા બાદ પણ કરવો પડી રહ્યો છે સંઘર્ષ, 20 વર્ષ બાદ પણ નથી મળ્યો સારો રોલ
ટીવી ઈન્ડસ્ટ્રીમાં ફેમસ થવા માટે માત્ર એક સારા રોલની જરૂર હોય છે. અભિનેત્રી દલજીત કૌર 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને હવે તે એક સારા અને આઇકોનિક રોલની શોધમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદલજીત કૌર આ દિવસોમાં ભારતમાં છે. તે અહીં તેના પિતાની સંભાળ લેવા આવી છે. આ સિવાય દલજીતે ફિલ્મ ‘દશમી’થી પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
તેણે ઇસ પ્યાર કો ક્યા નામ દૂ?, કુલવધુ, નચ બલિયે અને બિગ બોસ જેવા ઘણા લોકપ્રિય શો કર્યા છે. તેણે પોતાના અભિનયથી ઘણું નામ અને ખ્યાતિ પણ મેળવી છે. પરંતુ ફેમસ થયા પછી પણ એક સમય એવો આવ્યો જ્યારે દલજીત પાસે સારી નોકરી નહોતી અને પૈસા પણ નહોતા.
અભિનેત્રીને પૈસા માટે સાઈડ રોલ કરવા પડ્યા. દલજીતે તે સંઘર્ષના સમયગાળા દરમિયાન પોતાને અને તેના પુત્રને ખૂબ સારી રીતે સંભાળ્યા. દલજીતને ઘણા સમયથી લીડની જગ્યાએ સપોર્ટિંગ રોલ મળી રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે - જ્યારે હું કાલા ટીકામાં જોડાઇ તો ત્યારે મેં તે માત્ર પૈસા માટે કર્યું હતું. હું ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી અને મને પૈસાની જરૂર હતી. આ શોના નિર્માતા ખૂબ સારા હતા અને તેમણે મને આ શો આપ્યો હતો.
સારી ભૂમિકાઓ વિશે અભિનેત્રીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું - 'મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે મને મારી 20 વર્ષની કારકિર્દી અને મહેનતનું વળતર મળવું જોઈએ. હવે મને સારા રોલ મળવા જોઈએ. સારા પ્રોજેક્ટ મળવા જોઈએ. મને મારી જાતને સ્ક્રીન પર જોવી ગમે છે.
દલજીતે Manshaaથી ડેબ્યુ કર્યું હતું. તેણે CID, રાત હોને કો હૈ, કૈસા યે પ્યાર હૈ, સંતાન, સ્વરાગિની, મા શક્તિ, ગુડ્ડન તુમસે ના હો પાયેગા જેવા શોમાં કામ કર્યું છે. તે નચ બલિયેની વિજેતા પણ હતી.અંગત જીવનની વાત કરીએ તો તેણે 2023માં બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. નિખિલ સાથે લગ્ન બાદ તે મુંબઈથી કેન્યા શિફ્ટ થઈ ગઈ છે. અને છેલ્લા કેટલાક સમયથી ટીવી પરથી ગાયબ છે. હવે અભિનેત્રી ફરી કામ કરવા માટે તૈયાર છે અને સારા રોલની શોધમાં છે.