AC Tips: શું AC સાથે પંખો ચલાવવો યોગ્ય છે? જાણો સાચી રીત
AC Tips: ભારતમાં ઉનાળાનો શરૂ થયો છે. તેની સાથે જ ઘરોમાં AC પણ ચાલુ થવા લાગ્યા છે. પરંતુ AC ચલાવતી વખતે મોટાભાગના લોકો પંખો પણ ચાલુ કરે છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું આવું કરવું યોગ્ય છે કે નહીં?
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
ઉનાળામાં મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનરનો વપરાશ થાય છે. તેની સાથે વીજળીનું બિલ પણ ઝડપથી વધવા લાગે છે. આવા સમયમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે એર કન્ડિશનર સાથે પંખો ચલાવવાથી વીજળી વધારે ખર્ચાય છે કે તેની બચત થાય છે.
2/6
હકીકતમાં જો યોગ્ય રીતે એર કન્ડિશનર અને પંખાનો વપરાશ કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી રૂમમાં ઠંડી હવા ઝડપથી વધશે અને એર કન્ડિશનરને ઓછું કામ કરવું પડશે. યોગ્ય સેટિંગ અપનાવીને તમે વીજળીનું બિલ પણ ઓછું કરી શકો છો અને વધુ સારી કૂલિંગ મેળવી શકો છો.
3/6
એર કન્ડિશનરથી રૂમની હવા ઠંડી થાય છે. પરંતુ ઠંડી હવા સામાન્ય રીતે નીચેની તરફ વધુ હોય છે. જો સાથે પંખો પણ ચાલે તો તે ઠંડી હવાને સમગ્ર રૂમમાં ફેલાવવામાં મદદ કરે છે. તેથી રૂમનું તાપમાન ઝડપથી સંતુલિત થાય છે.
4/6
પંખો ખૂબ ઓછી વીજળી વાપરે છે જ્યારે એર કન્ડિશનર વધુ વીજળી વાપરે છે. જ્યારે પંખો હવાને સમગ્ર રૂમમાં ફેલાવે છે ત્યારે તમે AC નું તાપમાન થોડું વધારે રાખી શકો છો. ઉદાહરણ તરીકે AC ને 24થી 26 ડિગ્રી પર રાખીને પંખો ચલાવશો તો રૂમમાં આરામદાયક ઠંડક મળશે અને વીજળીની ખપત પણ ઓછી થશે.
5/6
જો તમે એર કન્ડિશનર અને પંખો સાથે ઉપયોગ કરી રહ્યા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. એર કન્ડિશનરનું તાપમાન ખૂબ ઓછું રાખવાના બદલે 24થી 26 ડિગ્રી આસપાસ રાખવું યોગ્ય માનવામાં આવે છે. સાથે પંખાની સ્પીડ મધ્યમ રાખવી જોઈએ જેથી હવા ધીમે ધીમે સમગ્ર રૂમમાં ફેલાતી રહે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 20 Mar 2026 01:29 PM (IST)
= 6">