આ વસ્તુઓ ખાધા પછી ભૂલથી પણ ના પીવુ જોઇએ પાણી, નહી તો પેટમાં થશે ગરબડ

મોટાભાગે લોકો જમ્યા પછી તરત જ પાણી પી લે છે, પરંતુ આ 9 વસ્તુઓ એવી છે કે તેને ખાધા પછી તમારે પાણી બિલકુલ ન પીવું જોઈએ, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/8
image 1
2/8
કાકડી અને ગાજર જેવા કાચા શાકભાજીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તમે તેને ખાધા પછી તરત જ પાણી પી લો તો તેનાથી પેટમાં એસિડ બને છે.ફળો: નિષ્ણાતો માને છે કે તરબૂચ, અને નારંગી જેવા ફળો ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, કારણ કે તેમાં પહેલાથી જ વધુ માત્રામાં પાણી હોય છે.
3/8
ચા અને કોફીઃ ચા કે કોફી પીધા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે, આવી સ્થિતિમાં ચા કે કોફી પીધાના 15-30 મિનિટ પછી જ પાણીનું સેવન કરો.
4/8
ભાત અને રોટલી: ભાત કે રોટલી ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં સોજો અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો કે, સામાન્ય રીતે પાચનમાં મદદ કરવા અને ડિહાઇડ્રેશનને રોકવા માટે રોટલી અથવા ભાત ખાધા પછી અડધા કલાક પછી પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
5/8
મીઠાઈઓ: મીઠાઈ ખાધા પછી તરત જ પાણી પીવાથી તેને પચવામાં સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે શરીરમાં ગ્લુકોઝ ઝડપથી શોષવા લાગે છે અને બ્લડ સુગરનું સ્તર નિયંત્રણ બહાર જઈ શકે છે.
6/8
કેળાઃ કેળાને પાણી સાથે ખાવાથી અપચો થઈ શકે છે, આવી સ્થિતિમાં કેળા સાથે કે પછી પાણી ન પીવું જોઈએ.
7/8
કઢી અને મસાલેદાર ખોરાક: કેટલાક લોકો મસાલેદાર ખોરાક અથવા કઢી ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળે છે જો કે, જો તમને તીખું લાગ્યું હોય તો તમે થોડું પાણી પી શકો છો.
8/8
દહીંઃ દહીં ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં એસિડ પાતળું થઈ શકે છે અને પાચનમાં સમસ્યા ઊભી થાય છે, આવી સ્થિતિમાં દહીં ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તમે અડધા અથવા 1 કલાક પછી પાણી પી શકો છો.
Sponsored Links by Taboola