Deep Breathing: માત્ર 5 મિનિટના ઊંડા શ્વાસથી દૂર થશે તણાવ, મળશે માનસિક શાંતિ
Deep Breathing: ડીપ બ્રીધિંગ એટલે કે ઊંડા શ્વાસ લેવું, એક કુદરતી અને સરળ ઉપયોગ છે. જે શરીર અને મન બંનેને આરામ આપે છે. નિયમિત રીતે ડીપ બ્રીધિંગ કરવાથી તણાવ ઘટે છે
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
દરરોજ માત્ર 5 મિનિટ ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થાય છે. મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. આજની લાઇફસ્ટાઇલમાં સતત વધતી સ્ક્રીન ટાઈમ અને અનિયમિત ડાયટથી શરીર સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે
2/6
તણાવ, ચિંતા અને એન્ઝાયટી જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આવા સમયે નિષ્ણાતોના મતે માનસિક સંતુલન જાળવવા માટે ડીપ બ્રીધિંગ સરળ અને અસરકારક ઉપાય છે. ડીપ બ્રીધિંગ અથવા ઊંડા શ્વાસ લેવાની સલાહ આપવામાં આવે છે
3/6
ડીપ બ્રીધિંગ કરવા માટે કોઈ ખાસ સાધન અથવા સ્થાનની જરૂર નથી. દરરોજ માત્ર 5 મિનિટનો આ અભ્યાસ શરીર અને મન બંનેને ઊંડો આરામ આપે છે. નિયમિત રીતે ઊંડી શ્વાસ લેતા તણાવ હોર્મોનનું સ્તર ઓછું થાય છે અને મન શાંત રહે છે.
4/6
ડીપ બ્રીધિંગ કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે જેમ કે શરીરમાં ઓક્સિજન પૂરું પહોંચાડે છે, જેથી મગજ વધુ સક્રિય અને સંતુલિત રહે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે. માંસપેશીઓના તણાવને ઘટાડે છે. અનિદ્રાથી પીડિત લોકો માટે પણ લાભકારી છે
5/6
સવારના સમયે ઉઠતા અથવા સુવા પહેલા 5 મિનિટ સુધી તમે ડીપ બ્રીધિંગ કરી શકો છો. આ આખા દિવસના તણાવને ઘટાડવામાં મદદરૂપ છે. ખાસ વાત એ છે કે ડીપ બ્રીધિંગ ઘરમાં, ઓફિસમાં અથવા મુસાફરી દરમિયાન પણ સરળતાથી કરી શકાય છે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 13 Feb 2026 01:58 PM (IST)
= 6">