શું ડાયાબિટિસના દર્દીઓ કેરી ખાઈ શકે કે ? જાણી લો એક્સપર્ટનો જવાબ

ગરમીની સિઝનમાં તમામ લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. કેસર કેરી તમામ લોકોને પસંદ હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત કેરીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. કેરીમાં કુદરતી મીઠાશ હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાવી કે નહીં તે અંગે દુવિધામાં રહે છે.
2/6
કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓએ કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ. એક્સપર્ટ મુજબ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે. પરંતુ તેમણે કેરી યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
3/6
કેરી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે. તેથી જ તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબિટીસના દર્દીઓએ તાજી કેરીનું સેવન કરવું જોઈએ. સૂકી કેરીની સરખામણીમાં તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે.
4/6
પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના દ્વારા સૂચવવામાં આવેલી રીતે કેરીનું સેવન કરો. ડૉક્ટર તમને જાણ કરશે કે કઈ માત્રામાં અને કયા સમયે કેરી ખાવાથી નુકસાન નહી થાય.
5/6
ભલે કેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે, તમારે વધુ કેરીનું સેવન કરવું જોઈએ. સામાન્ય લોકોએ દિવસમાં એકથી બે કેરી ખાવી જોઈએ. વધુ કેરી સ્થૂળતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે સુગરના દર્દીએ કેરીના એકથી બે ટુકડા જ ખાવા જોઈએ.
6/6
કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાંથી આવે છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર વધારે છે. જો કે તેની સાથે કેરીમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે બ્લડ સુગર પર તેની અસર ઘટાડે છે.
Sponsored Links by Taboola