રાત્રે સૂતા પહેલા પણી પીવુ કેટલું યોગ્ય છે ? જાણો તેના વિશે
રાત્રે સૂતા પહેલા પણી પીવુ કેટલું યોગ્ય છે ? જાણો તેના વિશે
તસવીર સોશિયલ મીડિયા
1/6
કેટલાક લોકો પોતાને હાઇડ્રેટ રાખવા માટે રાત્રે સૂતા પહેલા પાણી પીવે છે. પરંતુ ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો અને સંશોધનો કહે છે કે સૂતા પહેલા પાણી પીવું યોગ્ય નથી. ચાલો જાણીએ....
2/6
સૂવાના 1-2 કલાક પહેલા પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે રાત્રે પાણી પીવાથી પેશાબની શક્યતા વધી જાય છે, જેનાથી ઊંઘ બગડી શકે છે.
3/6
જો તમને રાત્રે તરસ લાગે છે, તો તમારે ખૂબ જ ઓછી માત્રામાં પાણી પીવું જોઈએ. સતત વધુ પડતું પાણી પીવાથી કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
4/6
નિયમિત રીતે યોગ્ય ઊંઘ ન લેવાથી વજન વધવાનું જોખમ વધી જાય છે. ઊંઘ ન આવવાથી ભૂખ વધે છે જેનાથી વજન વધી શકે છે.
5/6
ઊંઘના અભાવે બ્લડ પ્રેશર વધી શકે છે. જે લોકો નિયમિત રીતે ઓછી ઊંઘ લે છે તેમને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે હોય છે.
6/6
પૂરતી ઊંઘ ન લેવાથી પણ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. ઊંઘની કમીથી એલડીએલ કોલેસ્ટ્રોલ વધે છે જે હૃદય રોગનું કારણ બને છે.
Published at : 24 Sep 2023 10:54 PM (IST)