Health: પપૈયું સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર પણ આ લોકોએ ભૂલચૂકે પણ ન ખાવું નહિ તો થશે નુકસાન
Papaya Health Risk: અન્ય ફળોની જેમ પપૈયું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ સારી માત્રામાં છે.
પ્રતીકાત્મક તસવીર
1/7
Papaya Health Risk: અન્ય ફળોની જેમ પપૈયું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ સારી માત્રામાં છે.
2/7
પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટની સાથે ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે તેને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
3/7
પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકોએ હંમેશા તેનું સેવન કરવાથી બચવું જોઈએ. કેટલીક શારીરિક સમસ્યાઓ અને રોગોમાં તેને બિલકુલ ન ખાવું જોઈએ. નહિતો તે મુસીબતનું કારણ બની શકે છે.
4/7
તમે આ ઘણી વાર સાંભળ્યું હશે કે, ગર્ભવતી મહિલાએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેને આવું કેમ કહેવામાં આવે છે? વાસ્તવમાં, ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવાથી ગર્ભપાત અને કસુવાવડનું જોખમ રહે છે. આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓને હંમેશા આ ફળથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે.
5/7
માત્ર સગર્ભા સ્ત્રીઓ જ નહીં, ડાયેરિયા, લૂઝ મોશન અને પેટના ઈન્ફેક્શનથી પીડિત લોકોએ પણ તેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી તેમનું સ્વાસ્થ્ય વધુ બગડી શકે છે.
6/7
પપૈયું ખાવું પણ કેટલાક લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમને વારંવાર કબજિયાત અથવા પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય તો તમારે આ ફળનું સેવન ચોક્કસ કરવું જોઈએ. કારણ કે પપૈયામાં આવા પોષક તત્વો હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે.
7/7
જો ઉપરોક્ત કોઇ સમસ્યા ન હોય તો પપૈયાનું ખાલી પેટ સેવન કરવાથી વેઇટ લોસની સાથે તે ત્વચાનો પણ રંગ નિખારે છે
Published at : 25 Jun 2023 09:01 AM (IST)