જો ભૂલથી 'ચ્યુઇંગ ગમ' ગળી જઈએ તો શું થશે? જાણો નિષ્ણાંતોની શું છે સલાહ

બાળકો હોય કે પુખ્ત વયના લોકો, આજકાલ મોટાભાગના લોકો ચ્યુઇંગ ગમ ચગાવતા જોવા મળે છે. કેટલાકને પરફેક્ટ જડબા જોઈએ છે, જ્યારે કેટલાક જડબા અને દાંતની મજબૂતાઈ માટે ચ્યુઈંગ ગમ ખાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
ઘણી વખત લોકો ચ્યુઇંગ ગમ ખાતી વખતે ભૂલથી તેને ગળી જાય છે. આ ઘણીવાર બાળકો સાથે થાય છે. હવે સવાલ એ થાય છે કે શું ચ્યુઇંગ ગમ ગળી જવાથી શરીર પર કોઈ ખરાબ અસર થાય છે કે શરીરના અંગોને કોઈ નુકસાન થાય છે? આવો જાણીએ...
2/5
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ગળ્યા પછી ચ્યુઇંગ ગમ પેટની લાઇનિંગ સુધી પહોંચે છે અને તે આંતરડામાં અવરોધ પેદા કરી શકે છે. ઘણા લોકો માને છે કે ચ્યુઇંગ ગમ 7 વર્ષ સુધી પેટમાં રહે છે. જ્યારે આવું બિલકુલ નથી.
3/5
એ વાત સાચી છે કે ચ્યુઇંગ ગમ પચાવી શકાતી નથી, કારણ કે તે ઓગળતો ન હોય તેવો પદાર્થ છે. જે વસ્તુમાંથી ચ્યુઇંગ ગમ બનાવવામાં આવે છે તે અદ્રાવ્ય છે.
4/5
ચ્યુઇંગ ગમ કદાચ પચતું નથી, પરંતુ થોડા કલાકો અથવા થોડા દિવસોમાં, તે સ્ટૂલ દ્વારા આપોઆપ બહાર આવે છે.
5/5
ચ્યુઇંગ ગમનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, કારણ કે વારંવાર આકસ્મિક રીતે તમારા પેટમાં જવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે.
Sponsored Links by Taboola