શું તમે ક્યારેય વિચાર્યું છે કે શરીરમાંથી પરસેવો કેમ નીકળે છે? તેના હોય છે અનેક ફાયદાઓ

પરસેવો એ આપણા શરીરની નેચરલ પ્રક્રિયા છે, જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે પરસેવાની ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે અને પરસેવો આવવા લાગે છે. આ પ્રક્રિયા શરીરના તાપમાનને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
પરસેવો એ આપણા શરીરની નેચરલ પ્રક્રિયા છે, જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે પરસેવાની ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે અને પરસેવો આવવા લાગે છે. આ પ્રક્રિયા શરીરના તાપમાનને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પણ પરસેવો આવે છે જેના કારણે શરીરની અંદરની ગરમી બહાર નીકળી જાય છે.
2/6
શરીરનું તાપમાન નિયંત્રિત કરવું: જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે આપણને પરસેવો થાય છે જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરસેવો એ શરીરને ઠંડુ રાખવાની કુદરતી રીત છે.
3/6
ટોક્સિન્સને બહાર કાઢે છેઃ પરસેવાના માધ્યમથી શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વો (ટોક્સિન્સ) બહાર આવે છે. તે આપણા શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
4/6
ત્વચાને સ્વચ્છ રાખે છેઃ પરસેવાથી ત્વચાના છિદ્રો ખુલે છે અને ગંદકી દૂર થાય છે, ત્વચા સ્વચ્છ અને ચમકદાર રહે છે.
5/6
રોગપ્રતિકારક શક્તિમાં વધારોઃ પરસેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરસેવામાં રહેલા એન્ટિબોડીઝ શરીરને રોગોથી બચાવે છે.
6/6
મૂડ સારો રાખવોઃ જ્યારે આપણે પરસેવો આવે છે ત્યારે આપણા શરીરમાં એન્ડોર્ફિન નામના હોર્મોન્સ નીકળે છે, જે મૂડને સારો રાખવામાં મદદ કરે છે. તેથી વ્યાયામ કરવાથી આપણને આનંદ અને આરામનો અનુભવ થાય છે.
Sponsored Links by Taboola