Chilled Water: ઉનાળામાં ચિલ્ડ વોટર પીવાનું પડી શકે છે મોંઘું, તમને બીમાર બનાવી શકે છે આ આદત
ઉનાળાની ઋતુમાં કેટલાક લોકો બહારથી આવ્યા પછી ફ્રીજ ખોલે છે અને ઠંડુ પાણી પીને ખુશ થઈ જાય છે. પરંતુ આમ કરવું સ્વાસ્થ્ય સાથે રમવા જેવું છે. એક હેલ્થ વેબસાઈટના રિપોર્ટ અનુસાર ઠંડુ પાણી પીવાથી આપણું શરીર અસંતુલિત થઈ શકે છે. જે પાચન પ્રક્રિયાને અસર કરે છે અને તેને ધીમી કરી શકે છે. તેની બીજી ઘણી આડઅસર થઈ શકે છે. ચાલો જાણીએ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઠંડુ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ઠંડું પાણી પીધા પછી, ખોરાક શરીરમાંથી પસાર થતો હોય ત્યારે તે એકદમ સખત થઈ જાય છે. જેના કારણે આંતરડા સંકોચાઈ જાય છે અને એસિડિટીની સમસ્યા થવા લાગે છે.
જો તમે વધુ પડતું ઠંડુ પાણી પીઓ છો તો તેની પાચન તંત્ર પર અસર પડી શકે છે. ખોરાક પચવામાં તકલીફ થઈ શકે છે અને કબજિયાતની સાથે પેટમાં દુખાવો, ઉબકા, પેટ ફૂલવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ખૂબ ઠંડુ પાણી પીવાથી મગજ પર પણ અસર થઈ છે. ઠંડું પાણી કરોડરજ્જુની ઘણી સંવેદનશીલ ચેતાને ઠંડી કરી દે છે, જ્યાંથી તરત જ મગજમાં સંદેશાઓ મોકલવામાં આવે છે, જેના કારણે માથાનો દુખાવો થાય છે. આના કારણે સાઇનસ થવાનું જોખમ પણ રહે છે.
ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટાડવાનું જોખમ રહેલું છે. તે વેગસ નર્વને અસર કરે છે.. જેના કારણે હૃદય રોગ થઈ શકે છે.
વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરની ચરબી બળતી નથી અને ચરબી સખત બની જાય છે. જેના કારણે વજન વધી શકે છે. તેથી, જો તમે સ્થૂળતાની સમસ્યાથી બચવા માંગતા હોવ તો તમારે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.