Ahmedabad: નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ, સિંહાસન પર બિરાજી માતાએ આપ્યા દર્શન
Navratri 2023: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ નવરાત્રિએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું.
Continues below advertisement

માતા ભદ્રકાળી
Continues below advertisement
1/7

નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે વહેલી સવારથી માઈ ભક્તોએ લાંબી કતારો લગાવી છે. નગરદેવીએ સિંહાસન પર બિરાજમાન થઈ દર્શન આપ્યા હતા.
2/7
નવરાત્રિને લઈ ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે.
3/7
ગુજરાત ભરના લોકો ભદ્રની આજુબાજુ પાથરણા બજારમાં ખરીદી કરવા આવે તો અચૂક ભદ્રકાળીનાં દર્શન કરે છે.
4/7
ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે.
5/7
પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.
Continues below advertisement
6/7
પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી.
7/7
આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે.
Published at : 15 Oct 2023 09:43 AM (IST)