Ahmedabad: નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ, સિંહાસન પર બિરાજી માતાએ આપ્યા દર્શન

Navratri 2023: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ નવરાત્રિએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું.

Continues below advertisement
Navratri 2023: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ નવરાત્રિએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું.

માતા ભદ્રકાળી

Continues below advertisement
1/7
નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે વહેલી સવારથી માઈ ભક્તોએ લાંબી કતારો લગાવી છે. નગરદેવીએ સિંહાસન પર બિરાજમાન થઈ દર્શન આપ્યા હતા.
નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે વહેલી સવારથી માઈ ભક્તોએ લાંબી કતારો લગાવી છે. નગરદેવીએ સિંહાસન પર બિરાજમાન થઈ દર્શન આપ્યા હતા.
2/7
નવરાત્રિને લઈ ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે.
3/7
ગુજરાત ભરના લોકો ભદ્રની આજુબાજુ પાથરણા બજારમાં ખરીદી કરવા આવે તો અચૂક ભદ્રકાળીનાં દર્શન કરે છે.
4/7
ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે.
5/7
પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.
Continues below advertisement
6/7
પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી.
7/7
આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે.
Sponsored Links by Taboola