આધાર કાર્ડના નવા નિયમો: તમે નામ કેટલી વાર બદલી શકો છો? UIDAIની મર્યાદા અને અપડેટ પ્રક્રિયા જાણો

દેશની લગભગ 90% વસ્તી માટે મહત્ત્વપૂર્ણ એવા આધાર કાર્ડમાં જો કોઈ માહિતી ખોટી દાખલ થઈ હોય, તો UIDAI વપરાશકર્તાઓને તેમાં સુધારો કરવાની છૂટ આપે છે, પરંતુ આ સુધારો મર્યાદિત સંખ્યામાં જ કરી શકાય છે.

Aadhaar name update: UIDAI ના નિયમો અનુસાર, આધાર કાર્ડ પર નામ બદલવાની પરવાનગી ફક્ત બે વાર જ છે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિએ તેનું નામ બે વાર અપડેટ કરાવ્યું હોય, તો તે ત્રીજી વખત ફેરફાર કરાવી શકશે નહીં (સિવાય કે UIDAI પાસે ખાસ પરવાનગી મેળવવામાં આવે). નામ અપડેટ કરાવવા માટે પાસપોર્ટ, PAN કાર્ડ અથવા મતદાર ID જેવા માન્ય દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત છે. આ ઉપરાંત, નામ અપડેટ કરાવવા માટેની ફી ₹50 થી વધારીને ₹75 કરવામાં આવી છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે.

Sponsored Links by Taboola