નોકરી કરનારાઓને થશે મોટો ફાયદો, 30 દિવસથી વધુ રજાના મળશે પૈસા, જાણો નવો શ્રમ કાયદો

New Labour Laws: દેશમાં કર્મચારીઓના કામ અને જીવન વચ્ચે વધુ સારું સંતુલન બનાવવા માટે શ્રમ કાયદામાં મોટા ફેરફારો કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર નવા શ્રમ કાયદામાં ફેરફાર બાદ, જો કર્મચારીઓ 30 દિવસથી રજા જમા હશે તો તેમને વધારાના પૈસા મળશે. જો નવા શ્રમ કાયદાનો અમલ થશે, તો જો 30 દિવસથી વધુ રજા બાકી હશે તો કંપની કર્મચારીને વધારાના પૈસા ચૂકવશે. ધ્યાનમાં રાખો કે આ નિયમ હજુ અમલમાં આવ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ (ઓએસએચ કોડ), 2020 મુજબ, કર્મચારી પાસે એક કેલેન્ડર વર્ષમાં 30 દિવસથી વધુ પેઇડ લીવ બાકી ન હોવી જોઈએ. જો કર્મચારી પાસે 30 દિવસથી વધુ પેઇડ લીવ હોય, તો કંપનીએ 30 દિવસથી વધુ સમય માટે વધારાની ચૂકવણી કરવી પડશે.

આ કાયદો લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને એક વર્ષમાં ઓછામાં ઓછી ચોક્કસ રજા મળી શકે અને તેમના કામ કરવા માટે વધુ સારી વર્કિંગ કંડીશન કોડ લાગુ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે ભારતમાં લેબર કોડના નિયમો લાગુ કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. નોંધનીય બાબત એ છે કે ભારતમાં, સંસદ દ્વારા લાંબા સમયથી ચાર શ્રમ કાયદા પસાર કરવામાં આવ્યા છે અને તેને સૂચિત પણ કરવામાં આવ્યા છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે આ શ્રમ કાયદાઓ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સંહિતા દ્વારા પણ પસાર કરવું પડશે. આ પછી પણ તેને સમગ્ર દેશમાં એકસરખી રીતે લાગુ કરવામાં આવશે.
નોંધનીય બાબત એ છે કે નવા શ્રમ કાયદા હેઠળ, 30 દિવસ પછી રજા પર વધારાના પૈસા ઉપરાંત, કર્મચારીઓને બે દિવસ ઉપરાંત 3 દિવસની રજા મળશે. પરંતુ અઠવાડિયાના બાકીના દિવસોમાં કામકાજના કલાકો વધશે. નવા શ્રમ કાયદાના અમલીકરણને લઈને લાંબા સમયથી પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા તેનો અમલ થવાની આશા ઓછી છે.