પીએફ ખાતામાંથી એક વર્ષમાં કેટલા રૂપિયા ઉપાડી શકો છો તમે? આ છે નિયમ
PF Withdrawal Rule: પૈસાની અચાનક જરૂર પડે ત્યારે પીએફમાંથી રૂપિયા ઉપાડી શકાય છે. જોકે તેની ઉપાડની કેટલીક મર્યાદા અને નિયમો છે. આવો જાણીએ આ નિયમો વિશે....
ભારતમાં જેટલા પણ નોકરી કરતા લોકો છે, બધાના પીએફ ખાતા હોય છે. પીએફ ખાતા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતી ઈપીએફઓ સંસ્થા સંચાલિત કરે છે.
1/6
પીએફ ખાતું ભવિષ્ય માટે એક સારી બચત યોજના છે. દર મહિને 12% કર્મચારીના પગારમાંથી યોગદાન જાય છે. એટલું જ યોગદાન નિયોક્તા તરફથી કરવામાં આવે છે.
2/6
પીએફ ખાતાઓમાં સરકાર તરફથી સારું એવું વ્યાજ પણ આપવામાં આવે છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે સારું ફંડ જમા કરી શકો છો.
3/6
તો આની સાથે જ પીએફ ખાતાઓમાંથી જરૂરિયાતના સમયે ઉપાડ પણ કરી શકાય છે. આ માટે ઈપીએફઓએ કેટલાક નિયમો બનાવ્યા છે. નિયમો અનુસાર તમે એક વર્ષમાં પીએફ ખાતામાંથી આટલા પૈસા કાઢી શકો છો.
4/6
પીએફ ખાતામાં જરૂરિયાતના સમયે કેટલાક કામો માટે તમે તમારા ખાતામાં રહેલી 50% સુધીની રકમ કાઢી શકો છો. જોકે આ માટે તમારી નોકરી 7 વર્ષની હોવી જરૂરી છે.
5/6
જો તમારે તમારું ઘર ખરીદવું હોય તો તમે પીએફ ખાતાનું 90% સુધીનું બેલેન્સ કાઢી શકો છો. પરંતુ તે માટે 5 વર્ષની નોકરી હોવી જરૂરી છે.
6/6
તો આની સાથે જ મેડિકલ ઇમરજન્સીમાં તમે ખાતામાં કરેલું પૂરું યોગદાન અને તેના પર મળેલું વ્યાજ ઉપાડી શકો છો. તો આની સાથે જ તમારા માસિક પગારનો 6 ગણા સુધી કાઢી શકો છો.
Published at : 20 Sep 2024 06:19 PM (IST)