પીએફ ખાતામાંથી એક વર્ષમાં કેટલા રૂપિયા ઉપાડી શકો છો તમે? આ છે નિયમ
પીએફ ખાતું ભવિષ્ય માટે એક સારી બચત યોજના છે. દર મહિને 12% કર્મચારીના પગારમાંથી યોગદાન જાય છે. એટલું જ યોગદાન નિયોક્તા તરફથી કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએફ ખાતાઓમાં સરકાર તરફથી સારું એવું વ્યાજ પણ આપવામાં આવે છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે સારું ફંડ જમા કરી શકો છો.
તો આની સાથે જ પીએફ ખાતાઓમાંથી જરૂરિયાતના સમયે ઉપાડ પણ કરી શકાય છે. આ માટે ઈપીએફઓએ કેટલાક નિયમો બનાવ્યા છે. નિયમો અનુસાર તમે એક વર્ષમાં પીએફ ખાતામાંથી આટલા પૈસા કાઢી શકો છો.
પીએફ ખાતામાં જરૂરિયાતના સમયે કેટલાક કામો માટે તમે તમારા ખાતામાં રહેલી 50% સુધીની રકમ કાઢી શકો છો. જોકે આ માટે તમારી નોકરી 7 વર્ષની હોવી જરૂરી છે.
જો તમારે તમારું ઘર ખરીદવું હોય તો તમે પીએફ ખાતાનું 90% સુધીનું બેલેન્સ કાઢી શકો છો. પરંતુ તે માટે 5 વર્ષની નોકરી હોવી જરૂરી છે.
તો આની સાથે જ મેડિકલ ઇમરજન્સીમાં તમે ખાતામાં કરેલું પૂરું યોગદાન અને તેના પર મળેલું વ્યાજ ઉપાડી શકો છો. તો આની સાથે જ તમારા માસિક પગારનો 6 ગણા સુધી કાઢી શકો છો.