રેશનકાર્ડ ધારકો સાવધાન! આ એક ભૂલના કારણે રદ થઈ શકે છે તમારું કાર્ડ, જુઓ નવો નિયમ
મૃતક સભ્યના નામે રાશન લેવું ગેરકાયદેસર છે, જે બદલ રેશનકાર્ડ રદ થવા ઉપરાંત દંડ અને FIR પણ થઈ શકે છે.
Continues below advertisement

સરકાર દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશનકાર્ડ મારફતે મફત કે એકદમ સસ્તા દરે અનાજની સુવિધા આપવામાં આવે છે. પરંતુ, રેશનકાર્ડને લગતા કેટલાક એવા મહત્વના અને કડક નિયમો છે જેની જાણકારી દરેક નાગરિકને હોવી ખૂબ જ જરૂરી છે.
Continues below advertisement
1/7
જો તમારા પરિવારમાં ભૂતકાળમાં કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય અને તમે તેમનું નામ હજુ સુધી રેશનકાર્ડમાંથી કઢાવ્યું ન હોય, તો આ બેદરકારી ભારે પડી શકે છે. આ નાની અમથી લાગતી ભૂલ ભવિષ્યમાં તમારા માટે મોટી કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.
2/7
મૃત વ્યક્તિના નામે સરકારી રાશન મેળવવું એ કાયદેસર રીતે મોટો ગુનો બને છે. જો તપાસ દરમિયાન કોઈ પરિવાર આવું કરતો પકડાશે, તો સરકારી નિયમો અનુસાર તેની સામે આકરી કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
3/7
તપાસ દરમિયાન જો આ બાબત પકડાય તો તમારું રેશનકાર્ડ તાત્કાલિક ધોરણે રદ થઈ શકે છે. આ ઉપરાંત, મૃતકના નામે અત્યાર સુધી જેટલું પણ રાશન લીધું હશે, તેની વર્તમાન બજાર ભાવે વસૂલાત કરવામાં આવશે અને ગંભીર કિસ્સાઓમાં FIR પણ દાખલ થઈ શકે છે.
4/7
આ મુશ્કેલીથી બચવા માટે કેટલાક રાજ્યોમાં રેશનકાર્ડ અપડેટ કરવાની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જો તમારા રાજ્યમાં આ ડિજિટલ વ્યવસ્થા હોય, તો તમે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ પ્રક્રિયા મિનિટોમાં પૂરી કરી શકો છો.
5/7
ઓનલાઈન પ્રોસેસ માટે વેબસાઈટ પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગ-ઈન કરી "Delete Member" વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યાં મૃત વ્યક્તિની વિગતો ભરી, કારણમાં "Death" સિલેક્ટ કરી મૃત્યુ પ્રમાણપત્રની સ્કેન કોપી અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે.
Continues below advertisement
6/7
જે નાગરિકો ઓનલાઈન પ્રક્રિયા કરી શકતા નથી, તેઓ પોતાની નજીકની ખાદ્ય અને પુરવઠા કચેરી (મામલતદાર કચેરી) અથવા રાશન ડીલરની રૂબરૂ મુલાકાત લઈ શકે છે. ત્યાંથી નામ કમી કરવાનું ફોર્મ મેળવીને જરૂરી વિગતો સાથે લેખિત અરજી આપવાની રહેશે.
7/7
ઓફલાઈન ફોર્મની સાથે મૃત્યુ પ્રમાણપત્ર અને રેશનકાર્ડની નકલ જોડવી ફરજિયાત છે અને દસ્તાવેજો જમા કરાવ્યા પછી સંબંધિત અધિકારી પાસેથી રસીદ લેવી જરૂરી છે. કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહીથી બચવા માટે આજે જ આ કાર્ડ અપડેટ કરાવી લેવું હિતાવહ છે.
Published at : 08 Jul 2026 06:34 PM (IST)