Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે
ભારત સરકારે તમામ નાગરિકો માટે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ (Aadhaar Card) લિંક કરવાનું ફરજિયાત કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પણ તમે આધાર કાર્ડ (Aadhaar Card)નો ઉપયોગ કરો છો, ત્યારે તમારા ફોન પર એક વન ટાઈમ પાસવર્ડ (OTP) આવે છે. આનાથી અન્ય કોઈ તમારા આધાર કાર્ડ (Aadhaar Card)નો ઉપયોગ કરી શકશે નહીં.
આધારને નંબર સાથે લિંક કર્યા બાદ તમે ઘણા સરકારી કામ સરળતાથી કરી શકશો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમે તમારું ખોવાયેલું આધાર કાર્ડ (Aadhaar Card) પાછું મેળવી શકો છો.
આધાર સાથે મોબઈલ નંબર રજીસ્ટર કરવા માટે, તમે નજીકના એનરોલમેન્ટ સેન્ટર પર જઈ શકો છો. અહીં ફોર્મ ભર્યા પછી, તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને ફોર્મ સબમિટ કરો.
જો તમારો મોબાઈલ નંબર એકવાર આધાર સાથે લિંક કરવામાં આવ્યો છે, તો તમારે તેને વારંવાર લિંક કરવાની જરૂર નથી.
ધ્યાનમાં રાખો કે જો તમારો આધાર તમારા ફોન નંબર સાથે નોંધાયેલ નથી, તો તમે ઑનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશો નહીં.