આપમાં ભંગાણઃ આ 5 કોર્પોરેટરો આજે ધારણ કરશે કેસરિયો, જુઓ તસવીરો

Isudan_arvind

1/6
સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાનું એંધાણ છે. આજે સાંજે આપના 5 નેતાઓ ભાજપમાં જોડાવાના છે. આ અંગે ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાંચ આપના કાઉન્સિલરો સંપર્ક વિહોણા બન્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીએ કબૂલાત કરી છે. સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ કાઉન્સિલરો સંપર્ક વિહોણા છે. અમે તેમના ઘરે જઈને તપાસ કરી છે. પક્ષ વિરોધી કામગીરી કરનારા કાઉંસિલરો વિરુધ્ધ કાર્યવાહી કરાશે. પક્ષ વિરોધી કામગીરી કરાનારાઓને નહીં ચલાવી લેવાય.
2/6
આપના કોર્પોરેટર રૂતા દૂધાતરા ભાજપમાં જોડાશે.
3/6
જ્યોતિકા લાઠિયા પણ ભાજપમાં જોડાશે.
4/6
મનીષા કુકડિયા આજે ભાજપમાં જોડાશે. સુરતમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિવર ભાવના સોલંકી, વોર્ડ નંબર 3ના રૂતા દુધાગરા, વોર્ડ નંબર 8ના જ્યોતિકા લાઠિયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયા રાજીનામું આપી શકે છે.
5/6
વિપુલ મોવલિયા આજે કેસરિયો ધારણ કરી શકે છે.
6/6
ભાવના સોલંકી આજે કેસરિયો ધારણ કરશે.
Sponsored Links by Taboola