ગુજરાતમાં આવશે મિની વાવાઝોડું! અંબાલાલ પટેલનીની ૧૦ એપ્રિલ પછી મોટા બદલાવની આગાહી

Gujarat Weather: રાજ્યમાં આજથી કાતિલ ગરમીનો પ્રારંભ, ૧૨ એપ્રિલ સુધી તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે, ત્યારબાદ વાતાવરણમાં મોટો પલટો આવશે.

Continues below advertisement
Gujarat Weather: રાજ્યમાં આજથી કાતિલ ગરમીનો પ્રારંભ, ૧૨ એપ્રિલ સુધી તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે, ત્યારબાદ વાતાવરણમાં મોટો પલટો આવશે.

Weather News: ગુજરાતમાં માર્ચ મહિના બાદ હવે એપ્રિલમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૦ એપ્રિલ પછી રાજ્યમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં આંધી અને વંટોળ સાથે તોફાન આવવાની સંભાવના છે.

Continues below advertisement
1/6
અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમી અંગે વાત કરતા જણાવ્યું છે કે આજથી જ રાજ્યમાં ગરમીનો પારો વધવા લાગશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જઈ શકે છે. ખાસ કરીને વડોદરા, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમી અંગે વાત કરતા જણાવ્યું છે કે આજથી જ રાજ્યમાં ગરમીનો પારો વધવા લાગશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જઈ શકે છે. ખાસ કરીને વડોદરા, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
2/6
આ ઉપરાંત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ૧૨ એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. જો કે, ૧૦ એપ્રિલ પછી રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
3/6
પરંતુ આ રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૨૬ એપ્રિલ બાદ રાજ્યમાં ફરી એકવાર આકરી ગરમી પડશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
4/6
તેમણે એ પણ જણાવ્યું છે કે એપ્રિલ મહિના દરમિયાન હવામાનમાં વારંવાર પલટો આવશે અને પવનનું જોર પણ વધુ રહેશે, જેની અસર બાગાયતી પાકો પર પડી શકે છે. જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
5/6
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ૧૨ થી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠશે, જેના કારણે હવામાનમાં મોટો પલટો આવશે.
Continues below advertisement
6/6
ત્યારબાદ, ૧૭ થી ૨૦ એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પણ પડી શકે છે અને દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યું કે ૧૪ એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી જોવા મળશે, જો કે તેની ગુજરાતમાં અસર ઓછી રહેશે.
Sponsored Links by Taboola