Banaskantha Rain:ભારે વરસાદથી સુઈગામ જળબંબાકાર, થરાદની સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ વરસાદ વરસ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું.
1/9
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાયા હતા. ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.
2/9
સરપંચ રામસિંહ રાજપૂતે કહ્યું હતું કે 2015 કરતા પણ ભયંકર સ્થિતિ છે. આજે વધુ 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો છેઃ. ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયા છે. સુઈગામના 25થી 30 ગામોની સ્થિતિ વધારે ખરાબ છે. ગામમાંથી બહાર નીકળાય તેવી સ્થિતિ નથી. ભાભરથી વાવ જવાનો રોડ બંધ છે.
3/9
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે 2 દિવસમાં સુઈગામ તાલુકામાં 16 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સુઈગામના ગ્રામ્ય વિસ્તારની વિકટ સ્થિતિ છે. સુઈગામના અનેક ગામો સંપર્ક વિહોણા છે. સુઈગામમાં NDRFની ટીમ મોકલવામાં આવે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે અનેક ગામો સંપર્ક વિહોણા છે. પૂર જેવી પરિસ્થિતિ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક રસ્તાઓ પ્રભાવિત છે. સુઈગામ, વાવ, થરાદ સૌથી વધારે પ્રભાવિત છે.
4/9
બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલ સવારથી અત્યાર સુધી ખાબક્યો છે 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. થરાદની ગણેશ મહાલક્ષ્મી સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. થરાદ તાલુકા પંચાયત કચેરી પાસે પણ કેડ સમા પાણી ભરાયા હતા.
5/9
ધોધમાર વરસાદથી થરાદમાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. થરાદમાં મુખ્ય બજારમાં જવાના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
6/9
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સુઇગામમાં 16.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નડાબેટનો રણ વિસ્તાર સમુદ્રમાં ફેરવાઈ ગયો છે.
7/9
ભારે વરસાદને કારણે સુઇગામ પલ્લીના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે અને ઘણા ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. સાવચેતી રૂપે, જિલ્લા વહીવટીતંત્રે 8 સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની સૂચના આપી છે.
8/9
દાંતીવાડા ડેમના પાણીના સ્તરમાં વધારો થવાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વ્હાઇટ એલર્ટ જાહેર કર્યું છે, જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આસપાસના વિસ્તારોને અગાઉથી ચેતવણી આપી શકાય. વહીવટીતંત્રે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, અને લોકોને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની આગાહી કરી છે જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને NDRF ટીમો એલર્ટ મોડ પર છે.
9/9
થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. થરાદના જમડા, લેડાઉ,વામી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. નીચાણ વાળા ભાગોના ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે.ભારે પવનના કારણે પાક ઢળી પડ્યો હતો.
Published at : 08 Sep 2025 11:02 AM (IST)