સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી, મુખ્યમંત્રીએ નાળિયેર અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કર્યા
Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચીને છલકાયો છે.
Sardar Sarovar Dam: 2017 માં રાષ્ટ્રાર્પણ થયા પછી આ 6ઠ્ઠી વખત છે જ્યારે જળાશય તેની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા (9,460 મિલિયન ઘન મીટર) સુધી ભરાયું છે.
1/6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રીના નવમા પવિત્ર દિવસે એકતા નગર ખાતે પહોંચીને, વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકમાતા નર્મદાના પાવન જળનું પૂજન કર્યું અને નાળિયેર-ચૂંદડી અર્પણ કરીને વધામણાં કર્યા હતા. પૂર્ણ જળસપાટીને કારણે ડેમના પાંચ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું.
2/6
મુખ્યમંત્રીએ આ અવસરે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી અને 31 ઓક્ટોબરે યોજાનારી સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ સિઝનમાં 302 કરોડ યુનિટ સહિત અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.
3/6
ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઇફલાઇન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી મહત્તમ 138.68 મીટર (455 ફૂટ) પર પહોંચતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રીના પાવન દિવસે ડેમ સાઇટ એકતા નગર ખાતે જળ પૂજન કર્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમણે નર્મદા જળપૂજન અને વધામણાંની પરંપરાને આગળ ધપાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2017 માં ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું ત્યારથી આ છઠ્ઠી વાર છે કે જળાશય તેની 9,460 મિલિયન ઘન મીટરની કુલ સંગ્રહ ક્ષમતાએ ભરાયું છે.
4/6
આ ડેમ પ્રોજેક્ટ ગુજરાતના 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગર પાલિકાઓ સહિત આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડે છે. મુખ્યમંત્રીએ ડેમનું પાણી પૂર્ણ સપાટીએ ભરાતા જળ શક્તિની વંદના કરી હતી અને નાગરિકોને પારસમણિ સમાન નર્મદા જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
5/6
મુખ્યમંત્રીએ આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ સાથે પણ સંવાદ કર્યો હતો અને 31 ઓક્ટોબરે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના વિશેષ અવસરે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડના સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014 માં સત્તા સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમ પર ગેટ બેસાડવાની મંજૂરી આપી હતી, જેના કારણે આ સિદ્ધિ શક્ય બની છે.
6/6
સિંચાઈ વિભાગની જરૂરિયાત મુજબ પૂરતું પાણી વિતરણ કરાઈ રહ્યું છે અને ઓવરફ્લોના સમય દરમિયાન પુષ્પાવતી, રૂપેણ, બનાસ જેવી 10 જેટલી નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવીને તેમને જીવંત કરવામાં આવી છે. વીજળી ઉત્પાદનની વાત કરીએ તો, ચાલુ ચોમાસામાં રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે, અને અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.
Published at : 01 Oct 2025 06:26 PM (IST)