વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો

વસ્તી ગણતરી અધિકારીને રોકવા કે ખોટી માહિતી આપવી ભારે પડી શકે છે, 1948 ના એક્ટ હેઠળ બંને પક્ષે કડક સજાની જોગવાઈ.

ભારત સરકાર આગામી 2027 માં સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરી હાથ ધરવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પ્રક્રિયા દરમિયાન અનેક નાગરિકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું તેઓ પોતાની અંગત માહિતી આપવાનો ઈનકાર કરી શકે? કાયદાકીય રીતે આનો જવાબ 'ના' છે.

Sponsored Links by Taboola