Amrit Bharat Train: જલદી લોન્ચ થશે અમૃત ભારત ટ્રેન, જાણો તેના ખાસ ફિચર્સ અને રૂટ સહિતની જાણકારી

Amrit Bharat Train Launch: વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે દેશને પ્રથમ બે અમૃત ભારત ટ્રેન ભેટ કરશે. ચાલો જાણીએ આ ટ્રેનની ખાસ વિશેષતાઓ વિશે.

ફોટોઃ ટ્વિટર

1/7
Amrit Bharat Train Launch: વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે દેશને પ્રથમ બે અમૃત ભારત ટ્રેન ભેટ કરશે. ચાલો જાણીએ આ ટ્રેનની ખાસ વિશેષતાઓ વિશે.
2/7
દેશને વંદે ભારતની ભેટ આપ્યા બાદ હવે રેલવે ટૂંક સમયમાં દેશમાં અમૃત ભારત ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. અમે તમને આ ટ્રેનના ખાસ ફીચર્સ અને રૂટ વિશે જણાવી રહ્યા છીએ.
3/7
30 ડિસેમ્બરે અયોધ્યામાં પીએમ મોદી દેશને બે અમૃત ભારત ટ્રેન પણ ભેટ આપવાના છે.
4/7
દેશની પ્રથમ અમૃત ભારત ટ્રેન અયોધ્યાથી બિહારના દરભંગા વચ્ચે ચલાવવામાં આવશે.
5/7
બીજી ટ્રેન પશ્ચિમ બંગાળના બેંગલુરુ અને માલદા વચ્ચે દોડશે. આ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી સ્ટેશન પર આ ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
6/7
રેલવે મંત્રીએ કહ્યું છે કે વંદે ભારતની જેમ આ ટ્રેનમાં પણ પુશ-પુલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટ્રેનને 100ની સ્પીડ સુધી પહોંચવામાં થોડી જ મિનિટો લાગશે. આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
7/7
અમૃત ભારત ટ્રેનમાં 8 જનરલ કોચ, 12 સેકન્ડ ક્લાસ 3-ટાયર સ્લીપર કોચ સહિત કુલ 22 કોચ હશે. જેમાં એક સાથે 1800 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે. સીસીટીવી કેમેરાની સાથે આ ટ્રેનમાં આધુનિક શૌચાલય, સેન્સર વોટર ટેપ, મેટ્રો જેવી એનાઉન્સમેન્ટની સુવિધા હશે.
Sponsored Links by Taboola