Ayodhya Railway Station: સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય, કોઇ એરપોર્ટથી કમ નથી 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન, જુઓ શાનદાર તસવીરો

આ અયોધ્યા ધામ રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Ayodhya Dham Railway Station: અયોધ્યાના પુનઃવિકાસિત 'અયોધ્યા ધામ' રેલ્વે સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આધુનિકતાની સાથે લોકો સંસ્કૃતિને પણ જોઈ શકે. આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે, કેમ કે જોવામાં આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી કમ નથી લાગતુ...
2/8
અયોધ્યા ધામ રેલવે સ્ટેશનઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદી દેશવાસીઓને ખાસ ભેટ આપી રહ્યા છે. આ અંતર્ગત અયોધ્યાને નવા રેલવે સ્ટેશનની ભેટ પણ મળી છે.
3/8
અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનને ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન એરપોર્ટથી ઓછું નથી લાગતું. આ રેલવે સ્ટેશનને કુલ ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
4/8
તેનું પુનઃનિર્માણ 240 કરોડમાં કરવામાં આવી રહ્યું છે. નવું રેલવે સ્ટેશન કુલ ત્રણ માળનું બની રહ્યું છે. આધુનિક સુવિધાઓની સાથે, તમે આ રેલ્વે સ્ટેશનમાં શ્રી રામ મંદિરની સંસ્કૃતિ અને છબી પણ જોશો.
5/8
રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય ભાગ શાહી તાજના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ભગવાન રામનું પ્રતીકાત્મક ડિઝાઇન અને ધનુષ્ય પણ છે.
6/8
આ રેલ્વે સ્ટેશનમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સુવિધાઓ છે જેમ કે ફૂડ પ્લાઝા, વેઈટીંગ હોલ, ચાઈલ્ડ કેર રૂમ, ક્લોક રૂમ વગેરે.
7/8
આ સાથે લિફ્ટ, એસ્કેલેટર, પ્રવાસીઓ માટે માહિતી કેન્દ્ર, ટેક્સી વે જેવી અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ પણ એરપોર્ટ પર છે.
8/8
અયોધ્યાના રેલવે સ્ટેશનને દરરોજ 1 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે.
Sponsored Links by Taboola