Bhagwant Mann Marriage: ગુરપ્રીત કૌર અને મુખ્યમંત્રી ભગવંત માનના થયા લગ્ન, જાણો ક્યા દિગ્ગજ નેતા રહ્યા હાજર?
ભગવંત માનના લગ્નની તસવીર
1/8
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા.
2/8
પંજાબના સીએમ ભગવંત માને ચંદીગઢમાં પરિવારના સભ્યો અને આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વની હાજરીમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા.
3/8
ભગવંત માનના લગ્નમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે પહોંચ્યા હતા. ઉપરાંત રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ સામેલ થયા હતા.
4/8
સાંસદ રાઘવ ચઢ્ઢાએ સીએમ ભગવંત માન સાથેની તસવીર ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.
5/8
ભગવંત માનના લગ્નમાં મહેમાનોને મગ દાળનો હલવો, અંગૂરી રસમલાઈ અને ડ્રાય ફ્રૂટ રબડી સહિત અનેક પ્રકારના સલાડ પીરસવામાં આવ્યા હતા.
6/8
અગાઉ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આજે ખુશીનો દિવસ છે. મારા નાના ભાઇ આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. દુનિયાની તમામ ખુશી માનજીને મળે.
7/8
નોંધનીય છે કે ભગવંત માનના આ બીજા લગ્ન છે. છ વર્ષ અગાઉ તેમના પ્રથમ પત્ની સાથે ડિવોર્સ થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે.
8/8
ગુરપ્રીત કૌર
Published at : 07 Jul 2022 12:59 PM (IST)