ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉનાળો આવતાં જ સાપ તેમના દરમાંથી કેમ બહાર આવી જાય છે અને લોકોના ઘરમાં કેમ ઘૂસવા લાગે છે. જો હા તો ચાલો જાણીએ તમારા મનમાં ચાલતા આ સવાલનો જવાબ.
ઉનાળામાં કેમ સાપનો ખતરો વધી જાય છે
1/7
ઉનાળા દરમિયાન અવારનવાર લોકોના ઘર કે સ્વિમિંગ પુલમાંથી સાપ નીકળવાના બનાવો બને છે. આ ઉપરાંત આ સિઝનમાં સાપ કરડવાના બનાવો પણ વધી જાય છે.
2/7
આવી સ્થિતિમાં અનેક લોકોના મનમાં આ પ્રશ્ન વારંવાર ઉઠે છે કે ઉનાળામાં જ આવી ઘટનાઓ કેમ વધી જાય છે. તો ચાલો આજે જાણીએ આ સવાલનો જવાબ.
3/7
ખરેખર, સાપ 'ઠંડા લોહીવાળા' પ્રાણીઓ છે. જેનો અર્થ છે કે તેઓ પોતાના શરીરનું તાપમાન જાતે જાળવી શકતા નથી.
4/7
આ સિવાય ઠંડીના દિવસોમાં પૂરતી ઉર્જા ન મળવાને કારણે સાપનું ચયાપચય પણ ખૂબ જ ધીમુ થઈ જાય છે, જેના કારણે તે ન તો ઝડપથી દોડી શકે છે અને ન તો શિકાર કરી શકે છે.
5/7
આ જ કારણ છે કે તેઓ મોટાભાગનો સમય સૂવામાં પસાર કરે છે. તેઓ ભેગી કરેલી ઉર્જાનો સંગ્રહ કરવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ જેમ જેમ ઉનાળાની ઋતુ શરૂ થાય છે અને તાપમાન વધે છે, તેમ તેમ તેઓ તેમના દરમાંથી બહાર નીકળી જાય છે.
6/7
તે જ સમયે, સાપને ઉનાળામાં પૂરતી ઉર્જા મળે છે અને તેમનું ચયાપચય બૂસ્ટ થાય છે, જેના કારણે આ સમય દરમિયાન તેઓ હાયપરએક્ટિવ થઈ જાય છે અને શિકારની શોધમાં નીકળી પડે છે. તેઓ આ સમયગાળા દરમિયાન પ્રજનન પણ કરે છે.
7/7
પ્રજનનના સમય દરમિયાન સાપ ખતરનાક બની જતા હોય છે.
Published at : 23 Apr 2024 10:31 PM (IST)