Indian Railways Rules: ટ્રેનમાં દારુ લઈ જવો ગુનો છે કે નહીં? જાણો ભારતીય રેલવેનો શું છે નિયમ
Indian Railways Rules: ટ્રેનમાં દારુ લઈ જવો ગુનો છે કે નહીં? જાણો ભારતીય રેલવેનો શું છે નિયમ
Continues below advertisement
ભારતીય રેલવે નિયમો
Continues below advertisement
1/6
ભારતીય રેલ્વેએ કાર્યક્ષમ સંચાલન માટે અનેક નિયમો બનાવ્યા છે, જેથી મુસાફરોને અસુવિધા ન થાય અને તેમની મુસાફરી સુગમ રહે. ટ્રેન ટિકિટ બુક કરાવવાથી લઈને મુસાફરી પૂર્ણ કર્યા પછી સ્ટેશનથી બહાર નીકળવા સુધી અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
2/6
જો કોઈ વ્યક્તિ જાણી જોઈને આમાંથી કોઈપણ નિયમોનો ભંગ કરે છે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, જેમાં ભારે દંડ અને જેલ પણ શામેલ છે.
3/6
ટ્રેન મુસાફરોથી લઈને ટ્રેન સ્ટાફ સુધી દરેકને ફરજ પર હોય ત્યારે દારૂ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરવાની મનાઈ છે. જો દારૂના નશામાં પકડાય તો કડક કાર્યવાહી કરવામાં આવે છે.
4/6
હવે પ્રશ્ન એ ઊભો થાય છે: શું તમે ટ્રેનમાં દારૂની સીલબંધ બોટલો તમારી સાથે રાખી શકો છો ? સરળ જવાબ છે ના! જો ચેકિંગ દરમિયાન પકડાય તો નિયમો મુજબ કાર્યવાહી કરી શકાય છે.
5/6
જો તમે ટ્રેનમાં દારૂ સાથે મુસાફરી કરી રહ્યા છો અને તમારું ગંતવ્ય રાજ્ય ડ્રાય સ્ટેટ છે, તો આ એક મોટી સમસ્યા બની શકે છે. આ ફક્ત રેલ્વે નિયમોનું ઉલ્લંઘન જ નહીં તમે તે રાજ્યમાં સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન પણ કરી રહ્યા છો, જેના કારણે પોલીસ/વહીવટી કાર્યવાહી, દંડ અથવા જપ્તી પણ થઈ શકે છે. તેથી, મુસાફરી કરતા પહેલા બધા નિયમો સમજી લેવા ખૂબ જ જરુરી છે.
Continues below advertisement
6/6
દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. તે માત્ર લીવર, કિડની અને હૃદય પર નકારાત્મક અસર કરે છે, પરંતુ માનસિક સંતુલનને પણ અસર કરે છે. લાંબા સમય સુધી દારૂનું સેવન વ્યસન તરફ દોરી શકે છે.
Published at : 10 Nov 2025 07:51 PM (IST)