Kedarnath Dham: 2 વર્ષ બાદ સામાન્ય લોકો માટે ખુલ્યા કેદારનાથના કપાટ, શ્રદ્ધાળુઓને લાગ્યો મેળો, જુઓ PICS

(પ્રતિકાત્મક તસવીર)

1/6
Kedarnath Dham: કેદારનાથના કપાટ ફરીથી એકવાર આજે ખુલી ગયા છે. છ મેએ એટલે કે આજે કેદારનાથના કપાટ સવારે છ વાગ્યાને પચ્ચીસ મિનીટ પર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.
2/6
આ પ્રસંગે મંદિર પરિસરને પુરેપુરી રીતે ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. મંદિરના કપાટ ખુલવાની સાથે જ હવે શ્રદ્ધાળુઓ નિયમાનુસાર, પૂજા અર્ચના કરી શકશે.
3/6
કપાટ ખુલતા પહેલા જ પૂજા અર્ચના કરવા માટે ગુરુવારે કેદારનાથમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો હતો. વળી ડીએમ મયૂર દીક્ષિત (DM Mayur Dixit) શ્રદ્ધાળુઓની ભીડની સતત વ્યવસ્થા માટે તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યાં હતા.
4/6
બાબાના ધામના કપાટ ખોલવામા આવ્યા તો ભક્તોના જયકારાથી આખા વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. બાબાની પંચમુકી મૂર્તિ કેદાર મંદિરમાંથી વિજામાન કરવામા આવી. આ પછી વિધિપૂર્વક ભગવાન કેદારનાથના કપાટ ભક્તોના દર્શનાર્થે ખોલી દેવામાં આવ્યા. વળી, મંદિરમાં સર્વપ્રથમ પીએમ મોદીના નામથી પૂજા અર્ચના કરવામાં આવી.
5/6
પુજારીઓ તથા વેદપાઠીઓએ ગર્ભગૃહની સાફ સફાઇ કરી ભોગ ચઢાવ્યો અને પછી મંદિરમાં પૂજા અર્ચના કરવામા આવી. આ દરમિયાન કેદારનાથ ધામના રાવલ ભીમાશંકર લિંહ અને સીએમ પુષ્કર સિંહ ધામી સહિત બીકેટીસીના સભ્યો પણ હાજર રહ્યાં હતા.
6/6
સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આરાધ્યની વિધિ વિધાનની સાથે પુજા કરીને બાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
Sponsored Links by Taboola