PM Surya Ghar Yojana: શું ભાડાના ઘરમાં રહેતા હોય તો પણ લગાવી શકાય સોલાર પેનલ? જાણો નિયમો

વીજળીના બિલથી મળશે કાયમી છુટકારો: મકાનમાલિકની મંજૂરીથી આ રીતે કરો ઓનલાઈન અરજી અને મેળવો સબસિડીનો લાભ.

વીજળીના બિલથી મળશે કાયમી છુટકારો: મકાનમાલિકની મંજૂરીથી આ રીતે કરો ઓનલાઈન અરજી અને મેળવો સબસિડીનો લાભ.

વર્તમાન સમયમાં ઋતુ ગમે તે હોય, પરંતુ ઘરમાં વીજળીના ઉપકરણોનો વપરાશ અને તેને પરિણામે આવતા તોતિંગ બિલો સામાન્ય નાગરિક માટે ચિંતાનો વિષય બની ગયા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના' ચલાવવામાં આવે છે. અત્યાર સુધી લોકોમાં એવી સામાન્ય ગેરમાન્યતા હતી કે માત્ર ઘરના માલિકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ સરકારના નવા નિયમો મુજબ હવે ભાડાના મકાનમાં રહેતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. વધતી જતી મોંઘવારીમાં આ નિર્ણય મધ્યમ વર્ગના ભાડૂઆતો માટે એક મોટી રાહત સમાન છે.

Sponsored Links by Taboola